હું મારા નિંદકોને માન આપુ છું, તે 2 પ્રકારના હોય છે

On

(Utkarsh Patel) નિંદકો બે પ્રકારના હોય છે.

  1. સાચી નિંદા કરનારા નિંદકો
  2. ઈર્ષ્યાના માર્યા ખોટી નિંદા કરનારા નિંદકો

સાચી નિંદા કરનારા લોકો સમજો કે ભગવાને આપણા ભલા માટે ચોકીદાર મોકલ્યા બરાબર છે. આ નિંદકો આપણું ધ્યાન રાખે અને આપણાથી જાણ્યે અજાણ્યે થતી ભૂલોને શોધી કાઢે અને એ વાતો સમાજમાં વહેતી કરે!

હાવેક જ્યારે આપણે માટે થતી એ વાતો આપણને ખબર પડે ત્યારે આપણે સફાળા જાગી જઈએ અને આપણામાં સુધારો કરી લઈએ તો લાભ થાય! લાભ થાયને? ચોક્કસથી લાભ થાય.

સાચી નિંદા સાંભળોને ત્યારે નિંદક પ્રત્યે ક્રોધ કે દ્વેષભાવ લાવવો યોગ્યક નથી. આવા નિંદકોનો હૃદયથી આભાર માની લેવો કેમકે તેમણે એમના જીવનનો અમૂલ્ય સમય આપણી ભૂલો શોધવામાં ફાળવ્યો એ મોટી વાત છે.

આપણામાં રહેલી ભૂલો કે ઊણપ સુધારી લેવાથી ફાયદો તો આપણો જ છે, નુકશાન કશું જ નથી.

હવે વાત ઈર્ષ્યાના માર્યા ખોટી નિંદા કરનારા નિંદકોની. આ નિંદકો મારી દૃષ્ટીએ દયાપાત્ર લોકો છે. એક તો એ લોકો એમના જીવનનો અમૂલ્ય સમય આપણી સદંતર ખોટી નિંદા કરીને વ્યય કરે અને ઈર્ષ્યાના માર્યા એમનું મન અને શરીરમાં કઢાપો કરે એ જુદું. ઈર્ષ્યાના માર્યા તમારી ખોટી નિંદા કરનારક લોકોને એમનું કામ કર્યે રાખવા દેવું.

ખોટી નિંદા જેટલી વધુ થશે ને એટલો જ સમાજ તેમને ઝીણવટથી ચકાસશે અને તમારું ખરું વ્યક્તિત્વ સમાજ જાણશે. તમારા માટે ઈર્ષ્યાળુ નિંદકોએ જે ખોટી નિંદા ફેલાવી એના કરતા અનેક ઘણી તમારી સાચી અને સારી વાતો લોકો સુધી પહોંચશે.

મારી વ્યક્તિગત વાત કરું તો...

હું મારા બધા જ નિંદકોને મારી પાછળ વ્યસ્ત રાખું છું. એ મારા પ્રથમ મદદગાર લોકો છે જે મને સચેત રાખે છે અને અવિરત મારું જીવન વધુ સારું અને ચોક્કસ બને એના માટે મને જાગૃત, સચેત રાખે છે. નિંદકોને મારી નિંદામાં વ્યસ્ત રાખવા માટે હું પ્રતિક્રિયા આપવાનું પણ ટાળું છું અને હું મારા નિંદકોની નિંદા ક્યારેય કરતો નથી.

એક ખાસ વાત એ પણ ખરી કે હું મારા નિંદકોની નિંદા સાંભળવાનું પણ પસંદ કરતો નથી કેમકે જે લોકો મારી નિંદા પાછળ એમના જીવનનો અમૂલ્ય સમય ફાળવે એમની નિંદા સાંભળવાનું પાપ કહેવાય અને મારે એ પાપકર્મ કરવાનું થતું નથી.

સૌ નિંદકોનો હૃદયથી અંતઃકરણથી આભાર માનીએ અને એમનું નિંદાનું કાર્ય અવીરત વેગવંતુ રહે એવી પ્રભુને વિનમ્ર પ્રાર્થના કરીએ.

અગત્યનું:

બધા જ ગુણ અવગુણ ધરાવતા નિંદકોને એમનું કામ કરવા દેજો. બસ નિંદાથી નિરાશ થયા વિના નિંદાને આવકારી એનો અભ્યાસ કરજો અને ઉકેલ કાઢજો.

ઈર્ષ્યાના માર્યા ખોટી નિંદા કરનારા નિંદકોને કદીએ નિરાશ કરશો નહીં એમને વધુ નિંદા માટે પ્રોત્સાહિત કરજો.

(સુદામા)

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati