મામી સાથે હતા ભાણીયાના ગેરસંબંધ, મામાને દારૂ પીવડાવી....

ઉત્તર પ્રદેશના બરેલીમાં મામી સાથે પ્રેમ પ્રસંગના કારણે ભાણેજે પોતાના જ મામાની હત્યા કરી નાખી. પોલીસે હત્યાના આરોપી ભાણેજ, તેના સાથી અને મામીની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે જે વ્યક્તિની હત્યા થઇ છે, તેની પત્નીનું તેના ભાણેજ સાથે અફેર ચાલી રહ્યું હતું. મામી, ભાણેજ અને તેના સાથીએ મળીને આ હત્યાકાંડ કર્યો હતો. આ ત્રણેયે મામાને 20 સપ્ટેમ્બરના રોજ દારૂ પીવડાવીને તેમને રેલવેના પાટા પર સૂવડાવી તેમને મોતના ઘાટે ઉતાર્યા હતા.

આ કેસ બરેલીના ફતેગંજનો છે. જ્યાં આરતી નામની મહિલાનું તેના જ ભાણ્યા માનવેન્દ્ર સાથે અફેર ચાલી રહ્યું હતું. આ વાતને લઇ આરતી અને તેના પતિ રામવીરના સંબંધમાં ખટાશ આવી ગઇ. પછી ઝઘડો એટલો વધી ગયો કે આરતીએ માનવેન્દ્ર અને તેના એક સાથી સાથે મળીને રામવીરની હત્યા કરાવી દીધી.

પત્નીએ કરાવી પતિની હત્યા

ગયા અઠવાડિયે રામવીરનું શવ પાટા પાસેથી મળી આવ્યું હતું. પહેલા જોતા પોલીસને લાગ્યું કે ટ્રેનથી કપાઇને તેની મોત થઇ છે. પણ ભાઈની મિસિંગ રિપોર્ટ પછી તપાસ શરૂ કરવામાં આવી તો પોલીસને ચોંકાવનારી જાણકારી મળી. પોલીસને જાણ થઇ કે મૃતક રામવીરની પત્નીનું ઘણાં વર્ષોથી માનવેન્દ્ર નામના યુવક સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે. આના આધારે તપાસ આગળ વધારવામાં આવી તો હત્યાકાંડ સામે આવ્યો.

પોલીસ અનુસાર, આરતીના કહેવા પર માનવેન્દ્રએ રામવીરને બોલાવી દારૂ પીવડાવી બેભાન કર્યો. ત્યાર પછી તેને રેલવેના પાટા પર ફેંકી દીધો. જેને લીધે ચાલતી ટ્રેનથી કપાઇને રામવીરનું મોત થયું. જ્યારે પોલીસે આરતી અને માનવેન્દ્રને કસ્ટડીમાં લીધા તો પહેલા તેમણે કહાણી બનાવી પણ ત્યાર બાદ કડક પૂછપરછમાં બંનેએ હકીકત જણાવી દીધી.

આરતીએ કહ્યું કે, રામવીર તેને હેરાન કરતો હતો. તેની સાથે એ ખુશ નહોતી અને માનવેન્દ્ર સાથે રહેવા માગતી હતી. માટે તેણે માનવેન્દ્ર દ્વારા તેની હત્યા કરાવી દીધી. આ કાવતરામાં માનવેન્દ્રએ પોતાના મિત્રને પણ સામેલ કર્યો હતો. હાલમાં ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ કેસ વિશે જાણકારી આપતા એસપી મુકેશ મિશ્રાએ જણાવ્યું કે, રામવીર નામના વ્યક્તિની હત્યાના કેસનો ખુલાસો કરી દેવામાં આવ્યો છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપીનું નામ માનવેન્દ્ર છે, જે મૃતકનો ભાણેજ છે. માનવેન્દ્રએ સૌરભ નામના એક વ્યક્તિને પણ આ કાવતરામાં સામેલ કર્યો હતો. તેની સાથે પોલીસે મૃતકની પત્ની આરતીની પણ ધરપકડ કરી લીધી છે. હત્યાકાંડનું કારણ મૃતક રામવીરની પત્નીનું દૂરના સગામાં લાગતા ભાણેજ સાથેનો પ્રેમ સંબંધ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.