ઈન્ડિયાની પહેલી પ્રાઇવેટ ટ્રેને શરૂ કરી મુસાફરી, જુઓ ક્યાંથી ક્યાં સુધી જાય છે

ઈન્ડિયાની પહેલી પ્રાઇવેટ ટ્રેનનું સંચાલન શરૂ થઈ ગયુ છે. આ ટ્રેનને કોઇમ્બતૂરથી લીલી ઝંડી દેખાડીને શિરડી સુધી મોકલવામાં આવી છે. ભારત ગૌરવ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ ટ્રેનમાં અંદાજે 1500 લોકો મુસાફરી કરી શકશે.

ભારત યોજના હેઠળ ઈન્ડિયન રેલવેએ આ ટ્રેનને પ્રાઇવેટ સર્વિસ પ્રોવાઇડરને બે વર્ષની લીઝ પર ટ્રેન આપી છે. આ ટ્રેન એક મહિનામાં ત્રણ વાર ચાલશે.

સાઉથ રેલવેના પબ્લિક રિલેશન ઓફિસર બી ગુગનેસન મુજબ આ ટ્રેન મંગળવારે કોઇમ્બતુર નોર્થથી સાંજે છ વાગ્ય ઉપડશે અને ગુરુવારે સવારે સાત વાગ્યે અને 25 મિનિટે શિરડી પહોંચશે. આ ટ્રેનમાં એક સાથે 1500 મુસાફરો સવારી કરી શકશે.

બી ગુગનેસને કહ્યુ કે રેલવેએ આ ટ્રેનન એક સર્વિસ પ્રોવાઇડરને બે વર્ષની લીઝ પર આપી છે. સર્વિસ પ્રોવાઇડરે આ ટ્રેનની સીટ તેમની મુજબ નવી બનાવી છે. દર મહિને ઓછામાં ઓછી ત્રણ વાર એને દોડાવવામાં આવશે. આ ટ્રેનમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્લાસ એસી કોચની સાથે સ્લીપર કોચ સહિત 20 ડબ્બાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શિરડી પહોંચ્યા બાદ ટ્રેન એક દિવસનો બ્રેક લેશે. ત્યાર બાદ ટ્રેન સાંઇ નગર સ્ટેશની શુક્રવારે રિટર્ન થશે અને શનિવારે બપોરે બાર વાગ્યે કોઇમ્બતુર પહોંચશે. આ ટ્રેન શિરડી પહોંચે એ પહેલાં તિરુપુર, ઇરોડ, સેલમ જોલારપેટ, બેંગ્લોર, યેલહંકા, ધર્માવરા, મંત્રાલય રોડ અને વાડીમાં સ્ટોપ કરશે.

આ ટ્રેનનો ભાવ પણ રેલવે દ્વારા લેવામાં આવતી સામાન્ય ટ્રેન બરાબર જ છે. આ ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોને શિરડી સાંઈ બાબા મંદિરમાં દર્શન કરવા માટે વીઆઇપી સુવિધા પણ મળશે.

ટ્રેનની હાઉસકીપિંગ સર્વિસ પણ પ્રોફેશનલ પ્રોવાઇડરને આપવામાં આવી છે, જે ટ્રેનમાં મુસાફરી દરમ્યાન પણ સતત સાફ સફાઇ પર ધ્યાન રાખશે. ટ્રેનમાં ટ્રેડિશનલ શાકાહારી ભોજન આપવામાં આવશે. આ ટ્રેનમાં રેલવે પુલિસની સાથે એક ટ્રેન કેપ્ટન, એક ડોક્ટર અને પ્રાઇવેટ સિક્યોરિટી ઓફિસર પણ જોવા મળશે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.