પરિણીત ભારતીયોએ 'દગાબાજી' વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા

On

એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપે એક અભ્યાસ હાથ ધર્યો છે, જેમાં ભારતમાં પ્રેમની બદલાતી વ્યાખ્યા સામે આવી છે. રિસર્ચના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે, હવે પરિણીત ભારતીયો લગ્નની ઉપરાંત બહારના ડેટિંગ તરફ આકર્ષાઈ રહ્યા છે.

એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડને તાજેતરમાં એક અભ્યાસ હાથ ધર્યો છે, જેમાં ભારતના પરિણીત લોકો વિશે આશ્ચર્યજનક તથ્યો સામે આવ્યા છે. ભારતમાં, લોકો હવે લગ્નની ઉપરાંત બહાર ડેટિંગ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે, આવું એક અભ્યાસના પરિણામો દર્શાવે છે.

ગ્લીડેને લગ્ન, બેવફાઈ અને સાંસ્કૃતિક માપદંડો પ્રત્યે ભારતના બદલાતા વલણ પર અભ્યાસ હાથ ધર્યો છે. આ અભ્યાસમાં ટીયર 1 અને ટીયર 2 શહેરોના 25 થી 50 વર્ષની વચ્ચેના 1,503 પરિણીત ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે, અભ્યાસમાં સમાવિષ્ટ 60 ટકાથી વધુ લોકો ડેટિંગની બિન-પરંપરાગત પદ્ધતિઓ અપનાવી રહ્યા હતા, જેમ કે સ્વિંગિંગ (જેમાં પાર્ટનર્સ મનોરંજન માટે અન્ય લોકો સાથે સબંધ બનાવે છે) સંશોધનના પરિણામોએ જણાવ્યું હતું કે, ભારતમાં ઓપન ડેટિંગ સંબંધો અને પરિસ્થિતિનું વલણ વધી રહ્યું છે.

ભારતમાં આવું થાય તે થોડું આશ્ચર્યજનક છે, કારણ કે ભારતીય સમાજમાં લગ્નનું અલગ મહત્વ છે. ભારતમાં લગ્નને જીવનસાથી પ્રત્યેની પ્રતિબદ્ધતા તરીકે જોવામાં આવે છે.

અભ્યાસમાં લગ્ન પછી દગાબાજીના વિવિધ સ્વરૂપોની વિગતવાર માહિતી આપવામાં આવી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: પ્લેટોનિક ક્રિયાપ્રતિક્રિયાઓ (46 ટકા)-આ પ્રકારની બેવફાઈમાં લગ્નની બહારની અન્ય વ્યક્તિ સાથે માત્ર શારીરિક સંબંધો જ નહીં, પણ ભાવનાત્મક રીતે જોડાયાનો પણ સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ લગ્નની ઉપરાંત અન્ય વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલ હોય તો તેને બેવફાઈ ગણવામાં આવશે.

સંશોધન દર્શાવે છે, કે 46 ટકા પુરુષો આવા સંબંધોમાં આગળ વધવા માંગે છે, જેમાંથી સૌથી વધુ કોલકાતા (52 ટકા)ના લોકો જોવા મળે છે.

ડિજિટલ વિશ્વમાં, ઑનલાઇન ફ્લર્ટિંગ બેવફાઈનું એક સામાન્ય સ્વરૂપ બની ગયું છે. રિપોર્ટ દર્શાવે છે કે, 36 ટકા મહિલાઓ અને 35 ટકા પુરુષો વર્ચ્યુઅલ ફ્લર્ટિંગ દ્વારા આકર્ષાય છે. કોચીના મહત્તમ (35 ટકા) લોકોએ તેમાં રસ દાખવ્યો હોવાનું જોવા મળ્યું હતું.

તે હવે સામાન્ય બની ગયું છે અને પોતાના જીવનસાથી સિવાય અન્ય કોઈ વ્યક્તિ વિશે વિચારવું એ કોઈ મોટી વાત નથી. આંકડા દર્શાવે છે કે, 33 ટકા પુરુષો અને 35 ટકા સ્ત્રીઓ ખુલ્લેઆમ આવી કલ્પનાઓ કરતા હોવાનું સ્વીકાર કરે છે.

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati