અનાજના ડ્રમમાં પોતાના 4 બાળકોને પુરીને મોતને ઘાટ ઉતાર્યા પછી મા પણ લટકી ગઇ

રાજસ્થાનના બાડમેરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ પોતાના ચાર બાળકોની હત્યા કરી નાખી  અને પછી પોતે પણ લટકી ગઇ હતી. આ મહિલાને 3 પુત્રી અને એક પુત્ર હતો, જેમના મૃતદેહ અનાજના ડ્રમમાંથી મળી આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘટના શનિવારે સાંજે બાડમેર જિલ્લાના માંડલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મહિલા ગર્ભવતી હતી.

પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે બપોરે બની હતી. બાનિયાવાસ ગામની રહેવાસી 27 વર્ષની ઉર્મિલાએ તેના ચાર બાળકો  8 વર્ષનીભાવના, 5 વર્ષનો વિક્રમ, 3 વર્ષની વિમલા અને 2 વર્ષનીમનીષાને અનાજના ડ્રમમાં બેસાડી અને ઢાંકણું બંધ કરી દીધું હતું. ઘટના દરમિયાન મહિલાનો પતિ જેઠારામ મજુરી માટે જોધપુરના બાલેસર ગયો હતો.

મહિલાના સંબંધી માંગીલાલે કહ્યું કે,અમે અલગ રહીએ છીએ. દૂર દૂર સુધી ઘરો બનેલા છે. ઉર્મિલાનો પતિ જેઠારામ શનિવારે સવારે કામે ગયો હતો. સાંજે અમે ખેતરમાં કામ કરતા હતા. બાળકો અને ઉર્મિલા ન દેખાતા ઘરની મહિલાઓએ ઘરે પહોંચીને ઉર્મિલાને બુમ પાડી હતી. પરંતુ લાંબા સમય સુધી કોઇ જવાબ ન મળતા મહિલાઓએ ઘરમાં જઇને જોયું તો ઉર્મિલા ફાંસી પર લટકેલી હતી. જ્યારે બાળકોને શોધ્યા તો અનાજ ભરવાના ડ્રમમાંથી મળી આવ્યા હતા, પરંતુ તેમના મોત થઇ ચૂક્યા હતા.બાળકોના શ્વાસ રૂંધાઇ જવાને કારણે મોત થયા હતા.

જેઠારામના બનેવી પ્રદીપના જણાવ્યા અનુસાર ઉર્મિલાએ શનિવારે સવારે તેના પતિને ભોજન કરાવ્યું હતું અને ટિફિન પેકિંગ કરીને આપ્યું હતું. સાંજે પાંચ વાગ્યે ઉર્મિલાએ પતિને ફોન કરીને કહ્યું કે પિતાજીની તબિયત સારી નથી, ઘરે આવો. ગામમાં પહોંચીને જેઠારામને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.

ઉર્મિલાના કાકા ડુંગરરામે પોલીસમાં હત્યાનો કેસ નોંધાવ્યો છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મારી ભત્રીજીને છેલ્લાં 5 વર્ષથી તેના સાસરીયા હેરાન કરતા હતા. ભત્રીજીએ આ વિશે અનેક વખત વાત પણ કરી હતી અને સામાજિક સ્તર પર પંચાયત પણ બોલાવવામાં આવી હતી. કાકાએ ફરિયાદમાં કહ્યું છે કે જમાઇએ જ ભત્રીજી ઉર્મિલા અને બાળકોની હત્યા કરી છે.

સર્કલ સ્ટેશન ઓફિસર કમલેશ ગેહલોતે કહ્યું કે, પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલતો હતો. મહિલાના લગ્ન 2014માં થયા હતા. પોલીસ જ્યારે ઘટના સ્થળેપર પહોંચી ત્યારે મહિલાના ગળામાંથી ફાંસો મળી આવ્યો હતો અને તેનો મૃતદેહ ઘર પાસે આંગણામાં પડેલી હતી. જ્યારે બાળકો અનાજના ડ્રમમાં હતા. પાંચેય મૃત્યુ પામ્યા હતા. પિયર પક્ષે પતિ વિરુદ્ધ હત્યા અને દહેજ માટે ઉત્પીડનનો રિપોર્ટ નોંધાવ્યો છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.