વિલ્સન રોગ જ્યારે થાય છે ત્યારે શરીર આપે છે આવા સંકેતો, જીવલેણ છે આ રોગ

વિલ્સન ડીસિઝ આપણા શરીરના મહત્વપૂર્ણ ભાગોને અસર કરે છે. તે આપણા લીવર અને મગજ પર ઊંડી અસર કરે છે. ઘણા કિસ્સાઓમાં, જ્યારે તેના લક્ષણો વધે છે, ત્યારે મગજ પણ કામ કરવાનું બંધ કરી શકે છે.

ઘણા રોગો આનુવંશિક એટલે કે જીનેટિક હોય છે. એક એવો રોગ જે પેઢી દર પેઢી ચાલુ રહે છે. આવો જ એક રોગ વિલ્સન ડીસિઝ છે. તમે તેનું નામ કદાચ પહેલીવાર સાંભળ્યું હશે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે બીમારી કોઈ પણ હોય, વ્યક્તિ પાસે તેના વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. તેવી જ રીતે, જો આપણે આ રોગ વિશે વાત કરીએ, તો તે આપણા લીવર, મગજ અને અન્ય મહત્વપૂર્ણ અંગો પર ખરાબ અસર કરે છે.

એક સમાચાર મુજબ વિલ્સન સિન્ડ્રોમ ડીસિઝ એક આનુવંશિક રોગ છે. જ્યારે વ્યક્તિના શરીરમાં કોપર જમા થવા લાગે છે ત્યારે આવું થાય છે. આ રોગમાં મગજ અને લીવર જેવા અંગોમાં તાંબુ જમા થઈ જાય છે. આ રોગ યુવાન અને વૃદ્ધ લોકોને વધુ અસર કરે છે.

શરીરને કોપર એટલે કે તાંબાની ખૂબ જરૂર હોય છે. તાંબુ આપણી ચેતાઓના સ્વાસ્થ્ય માટે, હાડકાંને મજબૂત કરવા અને સ્કિન પિગમેનટેશન માટે મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, તાંબુ આપણા શરીરમાં જતા ખોરાકને શોષવાનું કામ કરે છે. આ કારણથી લોકો તાંબાના વાસણમાં પાણી પીવે છે. પરંતુ જો કોપર શરીરમાં વધુ બને છે, તો તે વિલ્સન રોગનું કારણ પણ બને છે. જો કે, શરીરમાં કોપર વધવાનું કારણ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી નથી. આ આનુવંશિકતાને કારણે છે.

વિલ્સન રોગ એક આનુવંશિક રોગ છે, તેથી તેનાથી પીડિત લોકોમાં જન્મથી જ તેના લક્ષણો હોઈ શકે છે. પરંતુ ઘણી વખત બાળપણમાં તેના લક્ષણો બરાબર સમજાતા નથી. વાસ્તવમાં, તેની ખબર ત્યારે પડે છે જ્યારે મગજ અને લિવરમાં તાંબુ જમા થવા લાગે છે. તેના લક્ષણો કંઈક આવા હોઈ શકે છે ...

 1. થોડી મહેનતથી થાક લાગે છે

 2. ભૂખ ન લાગવી અને પેટમાં દુખાવો થવો

 3. ત્વચા અને આંખોની સફેદી પીળી પડવી

 4. આંખોમાં બળતરા થવી

 5. પગ અથવા પેટમાં સોજો

 6. બોલવામાં કે ખાવામાં મુશ્કેલી

 7. સ્નાયુઓમાં જડતા

 8. આમાં લીવરમાં ઘાવ થાવ

 9. લીવર ફેઇલર 

 10. સતત ન્યુરોલોજીકલ સમસ્યાઓ

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.