વિટામીન B 12ની ઉણપના આ છે સંકેતો, અવગણતા નહીં

વિટામીન B 8 રીતના હોય છે. જેમાં B1, B2, B3,B5, B6, B7, B9 અને B12 સામેલ છે. B વિટામીનને બી Bકોમ્પ્લેક્સ વિટામીન પણ કહેવામાં આવે છે, જે શરીરની ચરબી અને પ્રોટીનનો ઉપયોગ કરવામાં પણ મદદ કરે છે. આ સ્કીન, વાળ, આંખ અને લિવરના સ્વાસ્થ્યને યોગ્ય રાખવામાં ઘણી મદદ કરે છે. આ બધામાં વિટામીન B 12 ઘણું મહત્ત્વનું છે. બધા B વિટામિન શરીરમાં સ્ટોર થતા નથી. આજના સમયમાં વૃદ્ધ લોકોની સાથે કેટલાંક યુવાનોમાં પણ વિટામીન B 12ની ઉણપ જોવા મળી રહી છે. તેનું કારણ તેમનું ડાયેટ હોઈ શકે છે. જો શરીરમાં વિટામીન B 12ની ઉણપ થાય તો શરીરમાં ઘણા સમસ્યાઓ ઉદ્દભવવા લાગે છે. લાંબા સમય સુધી જો તેનો ઈલાજ ન કરવામાં આવે તો ગંભીર બીમારી પણ થઈ શકે છે.

વિટામીન B 12ને કોબાલિન પણ કહેવામાં આવે છે. બી વિટામીન ભોજનને ગ્લુકોઝમાં બદલવામાં શરીરને મદદ કરે છે, જેનાથી એનર્જી મળે છે. આ નર્વ સેલ્સને યોગ્ય રાખવા તથા ડીએનએ-આરએનએના પ્રોડક્શનમાં પણ મદદ કરે છે. વિટામીન B 12, વિટામીન B 9ની સાથે મળીને કામ કરે છે. જેને ફોલેટ અથવા ફોલિક એસિડ પણ કહેવામાં આવે છે. આ લાલ લોહી કોશિકાને બનાવવામાં મદદ કરે છે અને શરીરમાં આયર્નને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. વિટામીન B 9 અને B 12, એસ-એડનોસિલમેથિયોનાઈનનું ઉત્પાદન કરવા માટે મળીને કામ કરે છે, જે ઈમ્યુયન ફંકશન અને મૂડને સારો રાખવામાં મદદ કરે છે.

અમીનો એસિડ હોમોસિસ્ટીનના બ્લડ લેવલને યોગ્ય બનાવી રાખવામાં વિટામીન B 12, B 6 અને B 9 એક સાથે કામ કરે છે. હોમોસિસ્ટીનનું હાઈ લેવલ હાર્ટ ડિસીસ સાથે જોડાયેલા હોય છે. વિટામીન B 12ની ઉણપના કારણે તમને થાક લાગશે. અસલમાં શરીરની કોશિકાઓના યોગ્ય રીતે કામ કરવા માટે વિટામીન B 12ની જરૂર હોય છે. જો B 12 ઓછું હશે તો લાલ લોહી કોશિકાઓનું પ્રોડક્શન ઓછું થશે, જેનાથી શરીરના અંગોને ઓક્સિજન ઓછું પહોંચશે અને થાક લાગશે. આ સિવાય B 12ની ઉણપથી સેન્સરી નર્વ ફંક્શનને નેગેટીવરૂપથી પ્રભાવિત કરે છે, દેનાથી માંસપેશીઓમાં દુખાવો અને કમજોરી જોવા મળે છે.

શરીરમાં વિટામીન B 12ની ઉણપ હોવા પર ત્વચાનો રંગી પીળો થઈ જાય છે. આયરનની ઉણપવાળા એનિમિયા નામની સ્થિતિની જેમ વિટામીન B 12ની ઉણપથી લાલ રક્ત કોશિકાઓની ઉણપ થાય છે. B 12ની ઊણપના લીધે કમળો પણ થઈ શકે છે અને ત્વચાની સાથે આંખો પણ પીળી થઈ શકે છે. આંખનો પીળો રંગ વેસ્ટ પ્રોડક્ટ બિલીરુબિનના હાઈ લેવલના કારણે થાય છે. આ સિવાય માથામાં દુખાવો પણ થાય છે. આ લક્ષણ મોટાઓની સાથે બાળકોમાં પણ જોવા મળે છે. 2019માં 140 લોકો પર થયેલી સ્ટડી પ્રમાણે જે લોકોને માઈગ્રેન હતું તે લોકોમાં નોર્મલ લોકો કરતા વધારે B 12નું લેવલ ઓછું હતું.

વિટામીન B 12ની ઉણપથી દસ્ત, કબજીયાત, સોજા, ગેસ અને અન્ય આંતરડા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય લોકોમાં ગ્લોસિટિસ જોવા મળી શકે છે. જેના કારણે મોઢામાં ચાંદી-ફોલ્લી અથવા સોજો આવી શકે છે. પેરેસ્ટેસિયા એક મેડિકલ શબ્દ છે, જેમાં શરીરના અમુક અંગો જેવા કે હાથ પગમાં જલન થાય છે.     

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.