આને કહેવાય... રબ ને બના દી જોડી; રશિયાની યુનાને વૃંદાવનમાં જીવન સાથી મળી ગયો

કહેવાય છે કે ઉપરવાળો જોડીઓ બનાવીને જ નીચે મોકલે છે, તેણે બનાવેલી જોડીને તે કોઈ પણ સંજોગોમાં, કંઈ પણ કરીને મેળવી જ દે છે. જે એકબીજાને જાણતા પણ ન હોય, તેમણે એકબીજાને ક્યારેય જોયા પણ ન હોય, તેઓ જાણતા અજાણતાં એકબીજાને મળી જ જાય છે. આવો જ એક કિસ્સો ભગવાનના ધામ વૃંદાવનમાં બન્યો છે. ભગવાને એવી જોડીને મેળવી છે કે, ભાષા, જ્ઞાન, રૂપ રંગ, દેશ, બોલી, સંસ્કૃતિ બધી રીતે ક્યાંય પણ મેળ બેસતો નથી, તો પણ વિદેશથી આવેલી યુવતીએ સ્થાનિક યુવકને પસંદ કરીને તેની સાથે લગ્ન કરી લીધા.

પતિ-પત્નીની આ જોડીની સૌથી ખાસ વાત એ છે કે, પતિ ભણેલો નથી અને રશિયન પત્ની હિન્દી નથી જાણતી, તેમ છતાં બંને સાથે રહે છે અને પ્રેમની ભાષા સમજે છે. સાથે મળીને તેઓ બંને ગાયની સેવા કરીને જીવન નિર્વાહ ચલાવે છે.

ધર્મનગરી વૃંદાવન કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે, અહીં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં આવીને ભગવાનની સેવા કરે છે. આવી જ એક ભક્ત રશિયાથી વૃંદાવનમાં દર્શન કરવા આવી હતી, પરંતુ પછી કંઈક એવું થયું કે, તેને અહીંનું વાતાવરણ એટલું બધું ગમી ગયું કે, તે અહીં જ રોકાઈ ગઈ.

આ રશિયન છોકરી અહીં એક છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ. બંને એકબીજાને એટલા પસંદ કરતા હતા કે વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. સાત સમંદર પારથી કૃષ્ણની ભક્તિ યુનાને વૃંદાવન તરફ ખેંચી લાવી હતી. અહીં તેની મુલાકાત રાજકરણ સાથે થઇ હતી, જે 20 વર્ષથી અહીં રહેતો હતો અને વૃંદાવનમાં રહેતા તેમના ગુરુના આદેશથી ગાયોની સેવા કરતો હતો.

યુના પણ તેમની સાથે ગાય સેવામાં જોડાઈ ગઈ અને રાજકરણની સાથે ગાય સેવા કરવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે સાથે સેવા કરતી વખતે બંને પ્રેમમાં પડ્યા અને બંનેએ એપ્રિલ 2023માં દિલ્હીમાં હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા. હવે તે બંને દિવસ દરમિયાન ગાયની સેવા કરે છે અને સાંજે વૃંદાવનના ઈસ્કોન મંદિર પાસે પરિસરમાં આવનારા લોકોને ધાર્મિક પુસ્તકો વેચી અને ચંદન લગાવીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. બંનેની જોડીને જોઈને સ્થાનિક લોકોની સાથે બહારથી આવતા ભક્તો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

રાજકરણને કોઈ પ્રકારનું શિક્ષણ મળ્યું નથી, એટલે કે તે ભણ્યો નથી, તેથી તેને લખતા વાંચતા આવડતું નથી અને યુના તે રશિયન છે, જે હિન્દી પણ જાણતી નથી. તો પણ પ્રેમ એક એવી ભાષા છે કે, બંને એકબીજાની દરેક વાતને સમજી લે છે. અહીં બંનેની વાત કરીએ તો, બંનેની ઉંમરમાં બહુ ફરક નથી. યુનાની ઉંમર 36 વર્ષ છે, જ્યારે રાજકરણ 35 વર્ષનો છે. યુનાએ લગ્ન પછી ભારતીય સંસ્કૃતિને સંપૂર્ણપણે અપનાવી લીધી છે. તે તેના ગળામાં મંગળસૂત્ર પણ પહેરે છે અને તેના માથાના ભાગે સેંથામાં સિંદૂર પણ લગાવે છે, એટલું જ નહીં, તે તેના પગમાં પાયલ પણ પહેરે છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.