ઇંડાનો આ હિસ્સો ઝેર સમાન, આ લોકોના સ્વાસ્થ્ય માટે દુશ્મન

ઇંડાને પ્રોટીનનો સૌથી સારો સોર્સ માનવામાં આવે છે. પ્રોટીન સિવાય તેમાં એન્ટીઓક્સિડન્ટ અને મિનરલ પણ હોય છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે. તે સ્કીન અને વાળને પણ હેલ્ધી રાખવામાં મદદ કરે છે. ઇંડાથી ડિશ બનાવવી એકદમ સરળ છે. બાળકોથી લઇને વૃદ્ધો સુધી દરેક જણ ઇંડાને મજા લઇને ખાય છે. એક ઇંડામાં 6.3 ગ્રામ પ્રોટીન, 69 મીલી ગ્રામ પોટેશિયમ, રોજની જરૂરનું 5.4 ટકા વિટામિન A, 2.2 ટકા કેલ્શિયમ અને 4.9 ટકા આયર્ન હોય છે. કહેવાય છે કે, રોજ ઇંડા ખાવાથી હાડકા મજબૂત થાય છે. તેની સાથે જ મગજ પણ તેજ બને છે.

માંસપેશીઓને મજબૂત બનાવવામાં, કેન્સરથી બચવામાં અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. કુલ મળીને ઇંડામાં એટલા બધા ફાયદા હોવા છતાં ઇંડા અમુક લોકો માટે હાનિકારક છે. જ્યારે કોઇ ગંભીર બીમારીઓથી પીડિત લોકોએ ઇંડાથી દૂરી બનાવી રાખવી જોઇએ. તો આ કોણ લોકો છે કે જેમણે ઇંડાના સેવનથી બચવું જોઇએ.

ડાયાબિટીઝના દર્દીઓએ ઇંડાથી દૂર રહેવું જોઇએ. જ્યારે આ કેસમાં વૈજ્ઞાનિકોની પણ અલગ અલગ સલાહ છે. NCBI પર છપાયેલા એક સ્ટડી રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ જોયું કે, અમેરિકામાં દર સપ્તાહ ઇંડા ખાનારા લોકોને ડાયાબિટીઝનું જોખમ 39 ટકા સુધી વધી ગયું છે. ચીનમાં નિયમિત રૂપે ઇંડા ખાનારા લોકોમાં ડાયાબિટીઝ થવાની સંભાવના વધારે હતી.

એવામાં જો તમને ડાયાબિટીઝની સમસ્યા છે તો ડૉક્ટરને પૂછીને તમારે ઇંડા ડાયેટમાં શામેલ કરવા જોઇએ. એ રોગીઓ કે કેટલું પ્રોટીન લેવું જોઇએ તેની સલાહ ડૉક્ટર બરાબર રીતે બતાવે છે. જ્યારે, જો તમારું વજન વધારે છે તો ઇંડાનું સેવન કરવાથી બચવું જોઇએ.

સાલ્મોનેલા એક જીવાણુ સંક્રમણ છે, જે ઝાડા, ઉલ્ટી, તાવ, માથાનો દુખાવાના દુખાવાનું કારણ બને છે. આ ફૂડ પોઇઝનિંગનું પણ કારણ બને છે. મરઘીઓથી સંક્રમિત મળના સંપર્કમાં આવવાથી ઇંડા અને ઇંડાની છાલ સાલ્મોનેલા બેક્ટેરિયાથી દૂષિત થઇ જાય છે. જો તમારી પાચનક્રિયા નબળી છે, તો તમે જલ્દીથી ફૂડ પોઇઝનિંગનો શિકાર બની શકો છો. એવામાં ઇંડાને હંમેશા ધોઇને ખાવા જોઇએ.

વર્લ્ડ હાર્ટ ફેડરેશન અનુસાર, હાઇ કોલેસ્ટ્રોલ સ્ટ્રોક અને હાર્ટ ડિઝીઝના જોખમને વધારે છે. ઇંડાની ઝર્દીના સેવનથી ધમનીઓમાં પ્લાક જમા થઇ શકે છે. જેનાથી તેમાં બ્લોકેજ આવી શકે છે. ઇંડાના પીળા ભાગમાં કોલેસ્ટ્રોલ હોય છે. NBCIના એક રિપોર્ટ અનુસાર, જરૂર કરતા વધારે કોલેસ્ટ્રોલ ખાવું ગંભર સ્વાસ્થ્ય જોખમ પેદા કરી શકે છે. જો તમને પહેલેથી જ કોલેસ્ટ્રોલની સમસ્યા છે, તો તમારે ઇંડા ખાવાથી બચવું જોઇએ.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.