લોકોને વીગન ફૂડ ખાવાની સલાહ આપનારી ઈન્ફ્લૂએન્સરનું કુપોષણને કારણે મોત

થાઈલેન્ડની વીગન ફૂડ ઈન્ફ્લૂએન્સર ઝન્ના સેમસોનોવાનું મોત થયું છે. તેની નજીકના લોકોનું કહેવું છે કે, ઝન્નાની મોત તેના ડાઇટને લીધે થઇ છે. હજુ સુધી તેની મોતનું ખરુ કારણ સામે આવ્યું નથી. પરિવાર મેડિકલ રિપોર્ટની રાહ જોઇ રહ્યું છે. ઝન્ના જાણીતી વીગન ફૂડ ઈન્ફ્લૂએન્સર હતી. તે ઘણાં વર્ષોથી વીગન ડાઇટ પર હતી. વીગનનો અર્થ છે કે માત્ર પ્લાન્ટ બેઝ્ડ ફૂડ જ ગ્રહણ કરવું. તે લોકોને આ ડાઇટના ફાયદા ગણાવતી હતી.

ન્યૂયોર્ક પોસ્ટની રિપોર્ટ અનુસાર, 21 જુલાઈના રોજ ઝન્નાનું નિધન થયું. તે 39 વર્ષની હતી. તેણે જણાવેલું કે, તે માત્ર ફળ, સૂરજમુખીના બીજ, ફળોની સ્મૂધી અને જ્યૂસ જ ખાતી-પીતી હતી. તો તેના મિત્રનો દાવો છે કે, તે પાછલા 7 વર્ષથી ડ્યૂરિન ખાઇ રહી હતી. ડ્યૂરિન મતલબ ચાંપા ખાઈ રહી હતી. આ ફળની દુર્ગંધ પણ હોય છે.

ન્યૂયોર્ક પોસ્ટને ઝન્નાના મિત્રએ જણાવ્યું કે તે થોડા મહિના પહેલા ઝન્નાને મળ્યો હતો. તે સમયે તેની તબિયત સારી નહોતી. તે થાકેલી લાગી રહી હતી. તેના પગમાં સોજા પણ હતા. માટે તેણે ઝન્નાને સારવાર માટે પાછી મોકલી દીધી હતી. પણ તે ત્યાથી ભાગી ગઇ. ત્યાર પછી તે ઝન્નાને પુકેટમાં મળ્યો હતો.

તેના મિત્રએ કહ્યું, ત્યાં ઝન્નાને જોઇ હું ડરી ગયો હતો. હું તેની બિલ્ડિંગના ઉપરના માળે રહેતો હતો. રોજ મને એ ડર લાગતો હતો કે તેને કશુ થઇ ન જાય. મેં તેને સારવાર લેવા પણ કહ્યું પણ તે માની નહીં.

ઝન્નાના એક મિત્રએ જણાવ્યું કે, તે પોતાના વીગન ડાઇટ વિશે બધાને જણાવતી હતી. તે કહેતી, હું રોજ મારા શરીર અને દિમાગને બદલાતા જોઉ છું. હું મારા આ નવા રૂપને પ્રેમ કરું છું. એ આદતોને ફરી ન આવવા દઉ જે પહેલા હતી.

રિપોર્ટ અનુસાર, ઝન્નાએ વીગન ડાઇટને ફોલો કરવાનો નિર્ણય ત્યારે લીધો જ્યારે તેણે જોયું કે તેના ઘણાં મિત્રો પોતાની ઉંમર કરતા મોટા દેખાવા લાગ્યા. માટે તેણે જંક ફૂડ પણ બંધ કરી દીધું.

તેના મિત્રોનું માનવું છે કે, તેની મોતનું કારણ માત્ર વીગન ડાઇટ પર રહેવાનું છે. પણ તેના ફોલોઅર્સનું માનવું છે કે, તેનું મોત ફળોમાં કેમિકલને કારણે થયું છે. તો ઝન્નાની માતાનું કહેવું છે કે તેની દીકરીનું મોત કોલેરા જેવા ઈન્ફેક્શનને લીધે થઇ છે. લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર, સાઉથ ઈસ્ટ એશિયાની મુલાકાત દરમિયાન ઝન્નાએ કથિત પણે મેડિકલ ટ્રીટમેન્ટ લીધી હતી. ત્યાર પછી 21 જુલાઇના રોજ તેની મોત થઇ.

ઝન્નાનો પરિવાર મેડિકલ રિપોર્ટ અને ડેથ સર્ટિફિકેટની રાહ જોઇ રહ્યા છે. જેથી તેની મોતનું ખરું કારણ સામે આવી શકે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.