છેલ્લા કેટલાક વર્ષોમાં છૂટાછેડાનું વધી રહ્યું છે પ્રમાણ, જાણો તેની પાછળના કારણો

કપલ્સમાં લડાઈ-ઝઘડા તો થતા જ રહે છે. કહેવાય છે કે, નારાજગી અને ઝઘડાના કારણે જ સંબંધમાં પ્રેમ જળવાઈ રહે છે. પરંતુ, ઘણીવાર આ ઝઘડો એટલો વધી જાય છે કે, લોકો લગ્નને સમાપ્ત કરવાનો નિર્ણય કરી લે છે. લગ્નને સાત જન્મોનો સંબંધ માનવામાં આવે છે, પરંતુ એકબીજા સાથે અણબનાવ, વૈચારિક મતભેદ અને અન્ય કારણોને પગલે આ સંબંધ થોડાં જ દિવસો બાદ તૂટી જાય છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતમાં છૂટાછેડાના મામલા ખૂબ જ ઝડપથી વધવા માંડ્યા છે. આખરે કયા કારણોને પગલે છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે. તેના કેટલાક સામાન્ય કારણો નીચે જણાવવામાં આવ્યા છે.

ભૂમિકાઓમાં થયો છે બદલાવ

પહેલા મહિલાઓને ઘર સંભાળવાની જવાબદારી આપવામાં આવતી હતી અને પુરુષ બહારના કામો જોતા હતા. જોકે, છેલ્લાં કેટલાક વર્ષોમાં આ ભૂમિકાઓ બદલાઈ છે. એવી ઘણી મહિલાઓ છે, જે ઓફિસ જાય છે અને તેમના પતિ ઘરના કામોમાં પણ મદદ કરે છે. છતા ભૂમિકાઓમાં આવેલા આ બદલાવ ઘણીવાર તણાવનું કારણ બની જાય છે.

ફાયનાન્સિયલ પ્રોબ્લેમ્સ

આવક અને પૈસા સાથે સંકળાયેલી સમસ્યાઓ મોટાભાગે છૂટાછેડાના પ્રમુખ કારણોમાં જોવા મળે છે. પૈસાની તંગી સારામાં સારા સંબંધોને પણ બગાડી નાંખે છે. ખર્ચા કરવાની આદત, દેવુ અને બચતની પ્રાથમિકતાઓ પર અસહમતિથી પણ લગ્નમાં તણાવ અને પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે.

એક્સ્ટ્રા મેરિટલ અફેર

લગ્ન બાદ પાર્ટનરના કોઈ અન્ય વ્યક્તિ સાથેના સંબંધ ઘણા સંબંધોને તોડી ચુક્યા છે. આજના જીવનમાં સોશિયલ મીડિયા અને ઓનલાઇન ડેટિંગ સાઇટ્સ સુધી પહોંચવું સરળ બની ગયુ છે, જેના કારણે લગ્નમાં ચીટિંગના મામલા વધતા જઈ રહ્યા છે. આ પ્રકારના સંબંધ એક પતિ અને પત્નીની વચ્ચેના વિશ્વાસને તોડી નાંખે છે, જેના કારણે સંબંધો અંત તરફ જવા માંડે છે.

કપલ્સની વચ્ચે કમ્યુનિકેશન ગેપ

વાતચીત કરવી કોઈપણ સંબંધનો મજબૂત પાયો માનવામાં આવે છે. જ્યારે કપલ્સની વચ્ચે યોગ્ય કમ્યુનિકેશન ના થતું હોય, તો તેમની વચ્ચે ગેરસમજ અને ઝઘડા થવાના શરૂ થઈ જાય છે અને આ રીતે બંને વચ્ચે અંતર વધવા માંડે છે.

એકબીજાને બદલવાનો પ્રયત્ન

પાર્ટનર જેવો છે એવો સ્વીકાર કરવામાં ઘણા લોકો ખચકાટ અનુભવે છે. તેઓ પોતાના પાર્ટનરની બીજા લોકો સાથે સરખામણી કરવા માંડે છે. તેઓ પોતાની ઇચ્છાઓ અને આકાંક્ષાઓ માટે કંટ્રોલ કરવા અથવા તો પછી ચાલાકીથી કામ કરાવવાનો પ્રયત્ન કરે છે. જેને કારણે સંબંધોમાં નિરાશા અને આત્મ-સંદેહ પેદા થાય છે.

અવાસ્તવિક આશાઓ

ફિલ્મો અને સોશિયલ મીડિયાના કારણે સામાન્યરીતે લોકોના મગજમાં લગ્નને લઇને એક અવાસ્તવિક તસવીર બનેલી હોય છે. તેઓ તેની સાથે જ લગ્નના સંબંધની શરૂઆત કરે છે અને પોતાના પાર્ટનર પાસેથી અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન રાખે છે. ત્યારબાદ તેમના હાથમાં માત્ર નિરાશા જ લાગે છે. આજે મોટાભાગના લોકો ન્યૂક્લિયર ફેમિલીમાં રહે છે, જેના કારણે એક જ વ્યક્તિ પાસે ઘણી બધી આશાઓ થઈ જાય છે, જેને પગલે તેના પર ખૂબ જ પ્રેશર બનવા માંડે છે.

માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી મુશ્કેલીઓ

ડિપ્રેશન, એંગ્ઝાયટી, ડ્રગ્સનો ઉપયોગ અને આ પ્રકારની  બીજી માનસિક સ્થિતિઓ એક કપલના સંબંધ પર ભારે અસર કરે છે. જે તણાવ, મુશ્કેલી અને સંઘર્ષનું કારણ બને છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.