એર સ્ટ્રાઇકના પુરાવા માગનારા અંગે CM વિજય રૂપાણી આપ્યું નિવેદન

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, બાલાકોટમાં વાયુસેનાની એર સ્ટ્રાઇકના પુરાવા માગનારા તમામ લોકો દેશવિરોધી અને પાકિસ્તાન સમર્થક છે પછી ભલે એ શહીદોના પરિવારજનો કેમ ન હોય. મંગળવારે ગાંધીનગર સ્થિત પાર્ટીની મુખ્ય કચેરી કમલમમાં તેમણે કહ્યું હતું કે, હું ફરી એકવાર કહી રહ્યો છું કે, આ ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે. કેમ? કારણ કે પાકિસ્તાન એર સ્ટ્રાઇકના પુરાવા માગે છે અને કોંગ્રેસ પણ કંઇક આવી જ માગ કરી રહ્યું છે. બંનેની ભાષા એક જ છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આવા લોકો ભારતની કાર્યવાહી પર શંકા છે અને ભારતને બદનામ કરવા માટે પાકિસ્તાનના ઇરાદાઓનું સમર્થન કરે છે.  એક રિપોર્ટર દ્વારા મુખ્યમંત્રીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, હુમલાના પુરાવા તો વિકટીમના પરિવારજનોએ પણ માંગ્યા હતા, તો એ શું પાકિસ્તાની થઈ ગયા..?” જેના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, હા, પાકિસ્તાની ભાષા છે, એટલા માટે કે પુરાવા ના હોય આના, આના પુરાવા એટલે માટે ના હોય કે પાકિસ્તાની ધરતી પર જઈ આપણે ઓપરેશન કર્યુ

BJPના સંકલ્પ પત્રના ગુજરાતી ભાષાંતરના લોન્ચિંગ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ નવા ભારતની પ્રતિજ્ઞા છે. દુનિયાએ માન્યું છે કે ભારતે પાછલા પાંચ વર્ષમાં પ્રગતિ કરી છે. વીતેલા 60 મહિનામાં મોદી સરકારે ભ્રષ્ટાચાર સાથે સીધી લડાઇ લડી છે.

About The Author

Related Posts

Top News

સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા ઘટ્યા પણ ખાતામાં જમા રકમ વધી; જાણો આ આંકડા કેમ કન્ફ્યુઝન ઉભું કરે છે

સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકો અને બેંકો દ્વારા રાખવામાં આવેલા નાણાંમાં 8 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે સ્વિસ સેન્ટ્રલ બેંક દ્વારા...
World 
સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા ઘટ્યા પણ ખાતામાં જમા રકમ વધી; જાણો આ આંકડા કેમ કન્ફ્યુઝન ઉભું કરે છે

રિલાયન્સનો ઉત્તરાધિકારી કોણ? મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીના ઉત્તરાધિકારી અંગે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, કંપનીમાં દૈનિક મેનેજમેન્ટ ટ્રાન્સફર લગભગ...
Business 
રિલાયન્સનો ઉત્તરાધિકારી કોણ? મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

શિંદે સેનામાં જોડાનારા બળવાખોર સાંસદે ઉદ્ધવ ઠાકરેને છોડવાનું કારણ જણાવ્યું, કહ્યું- વિકાસ ફંડ પણ નહોતું મળતું

શિવસેના (UBT) ના બળવાખોર સાંસદ નાગેશ પાટીલ આષ્ટીકરે રવિવારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાવાની પુષ્ટિ કરી દીધી છે....
Politics 
શિંદે સેનામાં જોડાનારા બળવાખોર સાંસદે ઉદ્ધવ ઠાકરેને છોડવાનું કારણ જણાવ્યું, કહ્યું- વિકાસ ફંડ પણ નહોતું મળતું

નીતિન ગડકરી કહે છે દેશમાં પાણીની કોઈ કમી નથી, બીજી બાજુ મુંબઈના તળાવોમાં 9 ટકા જ પાણી છે! અઠવાડિયામાં 2-3 દિવસ પાણી કાપ

મુંબઈવાસીઓને ચોમાસા માટે થોડી વધારે રાહ જોવી પડશે. કોંકણથી જ ચોમાસું આગળ વધતું ન હોવાને કારણે, જે 23 જૂને...
National 
નીતિન ગડકરી કહે છે દેશમાં પાણીની કોઈ કમી નથી, બીજી બાજુ મુંબઈના તળાવોમાં 9 ટકા જ પાણી છે! અઠવાડિયામાં 2-3 દિવસ પાણી કાપ
Copyright (c) Khabarchhe All Rights Reserved.