એર સ્ટ્રાઇકના પુરાવા માગનારા અંગે CM વિજય રૂપાણી આપ્યું નિવેદન

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, બાલાકોટમાં વાયુસેનાની એર સ્ટ્રાઇકના પુરાવા માગનારા તમામ લોકો દેશવિરોધી અને પાકિસ્તાન સમર્થક છે પછી ભલે એ શહીદોના પરિવારજનો કેમ ન હોય. મંગળવારે ગાંધીનગર સ્થિત પાર્ટીની મુખ્ય કચેરી કમલમમાં તેમણે કહ્યું હતું કે, હું ફરી એકવાર કહી રહ્યો છું કે, આ ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે. કેમ? કારણ કે પાકિસ્તાન એર સ્ટ્રાઇકના પુરાવા માગે છે અને કોંગ્રેસ પણ કંઇક આવી જ માગ કરી રહ્યું છે. બંનેની ભાષા એક જ છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આવા લોકો ભારતની કાર્યવાહી પર શંકા છે અને ભારતને બદનામ કરવા માટે પાકિસ્તાનના ઇરાદાઓનું સમર્થન કરે છે.  એક રિપોર્ટર દ્વારા મુખ્યમંત્રીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, હુમલાના પુરાવા તો વિકટીમના પરિવારજનોએ પણ માંગ્યા હતા, તો એ શું પાકિસ્તાની થઈ ગયા..?” જેના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, હા, પાકિસ્તાની ભાષા છે, એટલા માટે કે પુરાવા ના હોય આના, આના પુરાવા એટલે માટે ના હોય કે પાકિસ્તાની ધરતી પર જઈ આપણે ઓપરેશન કર્યુ

BJPના સંકલ્પ પત્રના ગુજરાતી ભાષાંતરના લોન્ચિંગ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ નવા ભારતની પ્રતિજ્ઞા છે. દુનિયાએ માન્યું છે કે ભારતે પાછલા પાંચ વર્ષમાં પ્રગતિ કરી છે. વીતેલા 60 મહિનામાં મોદી સરકારે ભ્રષ્ટાચાર સાથે સીધી લડાઇ લડી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.