એર સ્ટ્રાઇકના પુરાવા માગનારા અંગે CM વિજય રૂપાણી આપ્યું નિવેદન

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, બાલાકોટમાં વાયુસેનાની એર સ્ટ્રાઇકના પુરાવા માગનારા તમામ લોકો દેશવિરોધી અને પાકિસ્તાન સમર્થક છે પછી ભલે એ શહીદોના પરિવારજનો કેમ ન હોય. મંગળવારે ગાંધીનગર સ્થિત પાર્ટીની મુખ્ય કચેરી કમલમમાં તેમણે કહ્યું હતું કે, હું ફરી એકવાર કહી રહ્યો છું કે, આ ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે. કેમ? કારણ કે પાકિસ્તાન એર સ્ટ્રાઇકના પુરાવા માગે છે અને કોંગ્રેસ પણ કંઇક આવી જ માગ કરી રહ્યું છે. બંનેની ભાષા એક જ છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આવા લોકો ભારતની કાર્યવાહી પર શંકા છે અને ભારતને બદનામ કરવા માટે પાકિસ્તાનના ઇરાદાઓનું સમર્થન કરે છે.  એક રિપોર્ટર દ્વારા મુખ્યમંત્રીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, હુમલાના પુરાવા તો વિકટીમના પરિવારજનોએ પણ માંગ્યા હતા, તો એ શું પાકિસ્તાની થઈ ગયા..?” જેના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, હા, પાકિસ્તાની ભાષા છે, એટલા માટે કે પુરાવા ના હોય આના, આના પુરાવા એટલે માટે ના હોય કે પાકિસ્તાની ધરતી પર જઈ આપણે ઓપરેશન કર્યુ

BJPના સંકલ્પ પત્રના ગુજરાતી ભાષાંતરના લોન્ચિંગ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ નવા ભારતની પ્રતિજ્ઞા છે. દુનિયાએ માન્યું છે કે ભારતે પાછલા પાંચ વર્ષમાં પ્રગતિ કરી છે. વીતેલા 60 મહિનામાં મોદી સરકારે ભ્રષ્ટાચાર સાથે સીધી લડાઇ લડી છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.