રાજ ઠાકરેએ પુત્રની સીટના બદલે 10 સીટ છોડવાની સમજૂતી તોડી,CM શિંદે-BJP ટેન્શનમાં

મહારાષ્ટ્રના રાજકારણની દૃષ્ટિએ સોમવારનો દિવસ મહત્ત્વનો હતો. એક તરફ, મહાયુતિ અને મહાવિકાસ આઘાડીએ તેમના તમામ બળવાખોરોને કાબૂમાં લેવામાં સફળતા મેળવી છે, જ્યારે ઘણી જગ્યાએ બળવાખોરો હજુ પણ સક્રિય છે. આ સિવાય રાજ ઠાકરે અને મહાયુતિ વચ્ચે કોઈ મોટી સમજૂતી થાય તેવું લાગતું હતું, પરંતુ તે પણ છેલ્લી ઘડીએ તૂટી ગયું. હકીકતમાં MNS ચીફ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ માહિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે ચૂંટણી લડનાર CM એકનાથ શિંદે શિવસેનાના સદા સરવણકરને ચૂંટણી હરીફાઈમાંથી હટાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા.

આ માટે રાજ ઠાકરે અને CM એકનાથ શિંદે અને BJP વચ્ચે ડીલ પણ થઈ હતી. CM એકનાથ શિંદે સેના માહિમ સીટ પર અજિત ઠાકરેને વોકઓવર આપશે અને તેના બદલામાં MNS 10 સીટો પરથી પોતાના ઉમેદવારો પાછા ખેંચશે તેવી સંમતિ હતી. આ સોદા માટે સરવણકરને મનાવવા માટે CM એકનાથ શિંદે પોતે હંમેશા સક્રિય હતા. 15 વર્ષથી ધારાસભ્ય રહેલા સદા સરવણકર શરૂઆતમાં તૈયાર નહોતા અને તેમણે એક ભાવનાત્મક પોસ્ટ લખી કે, જો બાળાસાહેબ ઠાકરે હોત તો તેમણે સાચા શિવસૈનિકને પરિવાર માટે બલિદાન આપવાનું કહ્યું ન હોત.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ માટે CM એકનાથ શિંદેએ જ તેમને મનાવી લીધા હતા. તેમને વચન આપવામાં આવ્યું હતું કે, જો પાર્ટી જીતશે તો તેમને વિધાન પરિષદમાં મોકલવામાં આવશે અને તેઓ સરકારમાં મંત્રી પણ બનશે. આ રીતે, તેઓ અંતિમ દિવસે સંમત થયા અને નામાંકન પાછું ખેંચવા તેમને મળવા રાજ ઠાકરેના ઘર 'શિવતીર્થ' ગયા. પરંતુ રાજ ઠાકરેએ લાંબી રાહ જોવડાવ્યા પછી પણ તેમને મળવાનો ઇનકાર કર્યો હતો. હવે સદા સરવણકર કહે છે કે, રાજ ઠાકરેએ મને મળવાની જ ના પાડી હતી. તેથી હું ખુશ નથી. આ રીતે હવે માહિમમાં અમિત ઠાકરે, સદા સરવણકર અને ઉદ્ધવ સેનાના મહેશ સાવંત વચ્ચે ત્રિપલ લડાઈની સ્થિતિ બની છે.

એટલું જ નહીં, હવે 10 બેઠકો પરથી ઉમેદવારો પાછા ખેંચવાની MNSની યોજના પણ ખોરવાઈ ગઈ છે. આ રીતે મુંબઈ ક્ષેત્રની 10 બેઠકો પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઉમેદવારો યથાવત રહેશે અને આના કારણે મહાયુતિને સીધું નુકસાન માનવામાં આવી રહ્યું છે. હકીકતમાં એવું માનવામાં આવે છે કે, રાજ ઠાકરે માહિમ સીટ પરથી ઉમેદવારને પરત ખેંચવામાં વિલંબને લઈને ગુસ્સે થયા હતા. આ સિવાય તેમને એમ પણ લાગ્યું કે એકની જગ્યાએ 10 સીટો છોડવાના નિર્ણયથી ખોટો સંદેશ જશે. એવો સંદેશો જશે કે, રાજ ઠાકરેએ તેમના પુત્રની જીત સુનિશ્ચિત કરવા માટે સમાધાન કર્યું છે. આવી સ્થિતિમાં તેમણે છેલ્લી ઘડીએ કરાર જ તોડી નાખ્યો.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.