150 કરતા વધુ સ્મોલકેપ શેર 53% સુધી વધ્યા, જાણો આવતા અઠવાડિયે કેવી રહી શકે છે ચાલ

નાણાકીય વર્ષ 2023-24ના પહેલા અઠવાડિયામાં બજાર 1 ટકા કરતા વધુના વધારા સાથે બંધ થયુ હતું. FIIની ખરીદી, RBI તરફથી દરોમાં કોઈ બદલાવ ના થવો, મજબૂત ટેક્સ કલેક્શન અને સારા PMI આંકડાઓએ બજારમાં જોશ ભરી દીધો. 6 એપ્રિલે પૂર્ણ થયેલા અઠવાડિયામાં Sensex 841.45 અંક એટલે કે 1.42 ટકાના વધારા સાથે 59832.97ના સ્તર પર બંધ થયો. જ્યારે, નિફ્ટી 239.4 અંક એટલે કે 1.37 ટકાના વધારા સાથે 17599.15ના સ્તર પર બંધ થયો. ગત અઠવાડિયે BSE સ્મોલકેપ ઇન્ડેક્સમાં 3 ટકા, મિડકેપમાં 1 ટકા અને લાર્જકેપમાં 1.3 ટકાનો વધારો રહ્યો.

કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણે કહ્યું કે, ગત અઠવાડિયે FIIની ખરીદી અને પોઝિટિવ ગ્લોબલ સંકેતોના દમ પર નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં તેજી જોવા મળી. ભલે મોંઘવારીમાં વૈશ્વિક અને ઘરેલૂં બંને સ્તરો પર ઘટાડો ચાલુ હોય પરંતુ, ભારતીય ઇક્વિટી બજાર વિકાસની સંભાવનાઓને લઇને ચિંતિત રહ્યા. હવે બજારની નજર મેક્રો ટ્રેન્ડ, ગ્લોબલ માર્કેટથી આવી રહેલા સમાચારો અને વિવિધ સરકારો દ્વારા પોતાની અર્થવ્યવસ્થામાં સુધારા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાંઓ પર હશે.

6 એપ્રિલે પૂર્ણ થયેલા અઠવાડિયામાં વિદેશી સંસ્થાગત નિવેશક સતત બીજા અઠવાડિયે નેટ બાયર રહ્યા. આ અઠવાડિયે વિદેશી સંસ્થાગત નિવેશકોએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં 1604.56 કરોડ રૂપિયાની ખરીદી કરી. જોકે, આ અવધિમાં ઘરેલૂં સંસ્થાગત નિવેશક નફો વસૂલી કરતા દેખાયા. ઘરેલૂં સંસ્થાગત નિવેશકોએ ગત અઠવાડિયે ભારતીય ઇક્વિટી માર્કેટમાં 2272.3 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું.

ગત અઠવાડિયે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં આશરે 3 ટકાનો વધારો જોવા મળ્યો. ધાની સર્વિસીસ, નંદન ડેનિમ, બ્લેક રોઝ ઇન્ડસ્ટ્રીઝ, રામા ફોસ્ફેટ્સ અને અતુલ ઓટોમાં 30-53 ટકાની તેજી જોવા મળી. જ્યારે, કેપીઆઈટી ટેક્નોલોજી, કેપરી ગ્લોબલ કેપિટલ અને ગ્લોબલ હેલ્થમાં ઘટાડો જોવા મળ્યો.

કોટક સિક્યોરિટીઝના અમોલ આઠવલેનું કહેવુ છે કે, ટેક્નિકલરીતે જોઈએ તો નિફ્ટીએ લાંબા સમય બાદ 200-ડે સિમ્પલ મુવિંગ એવરેજને ફરીથી મેળવી લીધુ છે અને ડેલી અને વીકલી ચાર્ટ પર એક બુલિશ કેન્ડલ બનાવી છે. હવે નિફ્ટી માટે 17500 અને 17375 પર સપોર્ટ દેખાઈ રહ્યો છે. જ્યારે, તેના માટે 17700-17800 પર રજિસ્ટેન્સ દેખાઈ રહ્યો છે. બેંક નિફ્ટીએ પણ વીકલી ચાર્ટ પર બુલિશ કેન્ડલ બનાવી અને સફળતાપૂર્વક 50-ડે એસએમએથી ઉપર કારોબાર કર્યો. ઇન્ડેક્સ માટે 40700 અથવા 50-ડે એસએમએ પર સારો સપોર્ટ છે. જો બેંક નિફ્ટી આ સપોર્ટની ઉપર ટકી રહેવામાં સફળ રહે છે તો પછી તે ઇન્ડેક્સ 41500-41700 સુધી જઈ શકે છે.

રેલીગેર બ્રોકિંગના અજીત મિશ્રાનું કહેવુ છે કે, ગ્લોબલ બજારમાં આવેલી સ્થિરતાને પગલે બજાર પર થોડું પ્રેશર ઓછું થયુ છે. હવે બજારની નજર ચોથા ત્રિમાસિક પરિણામો પર હશે. 17600-17700ના ઝોનમાં મોટી સમસ્યાઓને જોતા લાગી રહ્યું છે કે, નિફ્ટીમાં કંસોલીડેશન હોઈ શકે છે. જોકે, તમામ સેક્ટરોમાં થનારું રોટેશન બાઇંગથી બજારમાં પોઝિટિવ ટ્રેન્ડ કાયમ રહી શકે છે. એવામાં બજારમાં કારોબાર કરનારાઓએ સ્ટોક-વિશેષ દ્રષ્ટિકોણ અપનાવવા ઓવર નાઇટ જોખમ પ્રબંધન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ હશે.

એલકેપી સિક્યોરિટીઝના રૂપક ડેનું કહેવુ છે કે, મોમેન્ટમ ઇન્ડીકેટર રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI)માં પોઝિટિવ ક્રોસઓવરથી બજારના સેન્ટીમેન્ટને બૂસ્ટ મળશે. જ્યાં સુધી નિફ્ટી 17500ની ઉપર બન્યું રહેશે ત્યાં સુધી બજારમાં ઘટાડા પર ખરીદીનો ટ્રેન્ડ રહેશે. ઉપરની તરફ નિફ્ટી માટે 17700ના સ્તર પર તાત્કાલિક રેસિસ્ટેન્સ છે. જો નિફ્ટી આ અડચણોને તોડી દે તો આ વધારો આગળ જઈ શકે છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.