શું 2000ની નોટ પછી 500ની નોટ પણ પાછી ખેંચાશે? RBI ગવર્નરે આપ્યો આ જવાબ

ગુરૂવારના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ MSP બેઠકના પરિણામોનું એલાન કર્યું. સતત બીજી વખત રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અને ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ વિશે શક્તિકાંતા દાસે જાણકારી આપી છે. વ્યાજ દરો વિશે જાણકારી આપવાની સાથે જ તેમણએ સર્ક્યુલેશનથી બહાર કરવામાં આવેલી 2000 રૂપિયાની ગુલાબી નોટને પાછી ખેંચવાના ડેટા પણ શેર કર્યા અને 500 રૂપિયાની નોટ બંધ થવાના સમાચાર વિશે વાત કરી.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે ચોખવટ કરી કે, રિઝર્વ બેન્કના ચલણમાં હાલ હાજર 500 રૂપિયાની નોટોને પાછી ખેંચવાની કોઇ યોજના નથી. તેમણે આ પ્રકારની અટકળો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. તેમની સાથે જ તેમણે એ વાતોને પણ ખારિજ કરી છે કે, દેશમાં એક ફરી વાર 1000ની નોટ જોવા મળશે.

શક્તિકાંતા દાસે બેઠક બાદ પોતાના નિવેદનમાં કહ્યું કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની 500ની નોટ પાછી ખેંચવાની યોજના પણ નથી અને 1000ની નોટ જારી કરવાની પણ કોઇ યોજના નથી. ગવર્નર શક્તિકાંતા દાસે 2000 રૂપિયાની નોટોને પાછી ખેંચવાની વાત કરી અ અત્યાર સુધી કેટલી નોટ બેન્કમાં જમા થઇ ચૂકી છે તેનો ડેટા પણ રજૂ કર્યો. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, 2000ની નોટોને સર્ક્યુલેશનથી બહાર કરવાના નિર્ણય  બાદ અત્યાર સુધી 50 ટકા ગુલાબી નોટ પાછી આવી ચૂકી છે.

રિઝર્વ બેન્ક અનુસાર, જ્યારે ગઇ 19 મેના રોજ જ્યારે આ નોટોને બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું, ત્યારે દેશમાં કુલ 3.62 લાખ કરોડની 2000ની નોટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, આ આંકડો 31મી માર્ચે 2023 સુધીનો હતો. હવે ગવર્નરે કહ્યું કે, તેમાંથી 1.80 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટ દેશની તમામ બેન્કોમાં પાછી આવી ચૂકી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 19મી મે, 2023ના રોજ ક્લીન નોટ પોલિસી હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનું એલાન કર્યું હતું અને લોકો પાસે હાજર આ નોટોને બેન્કો દ્વારા બદલવાની સુવિધા આપવામાં આવી હતી. દેશની બેન્કોમાં 2000 રૂપિયાની નોટોને બદલવાની પ્રક્રિયા 23મી મેથી શરૂ થઇ ચૂકી છે અને તેનું એક્સચેન્જ કે ડિપોઝિટ 30મી સપ્ટેમ્બર, 2023 સુધી કરી શકાશે.

ગવર્નર શક્તિકાંતા દાસે આગળ કહ્યું કે, 2000 રૂપિયાની નોટોને બદલવા કે જમા કરવા માટે ડરવાની જરૂર નથી. શક્તિકાંતા દાસે કહ્યું કે, આ ડેડલાઇન સુધી વધુ પડતી નોટ બેન્કોમાં પાછી લાવવાની આશા છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.