વર્લ્ડ બેંકે નવા નાણાકીય વર્ષ માટે ભારતનું GDP અનુમાન ઘટાડીને 6.3% કર્યું

વર્લ્ડ બેંકે મંગળવારે પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે, નાણાકીય વર્ષ 2024માં ખપતમાં નરમીના કારણે ભારતનો GDP ઓછો થઈને 6.3 ટકા રહેવાનું અનુમાન છે. જણાવી દઇએ કે, પહેલા દેશનો GDP 6.6 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. વર્લ્ડ બેંકે પોતાના ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટમાં કહ્યું છે કે, ખપતમાં ધીમી વૃદ્ધિ અને પડકારજનક બહારની પરિસ્થિતિઓના કારણે વિકાસ દરના બાધિત થવાની આશંકા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેવુ મોંઘુ થવુ અને આવકમાં ધીમી વૃદ્ધિથી ખાનગી ઉપભોગની વૃદ્ધિ પર અસર પડશે. તેમજ, મહામારી સાથે સંબંધિત રાજકોષીય સમર્થન ઉપાયોને પાછું લેવાના કારણે સરકારી ખપતમાં પણ ધીમી વૃદ્ધિનું અનુમાન છે. રિપોર્ટમાં ચાલુ ખાતાની ખોટ નાણાકીય વર્ષ 24માં ઓછું થઈને 2.1 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જે ગત નાણાકીય વર્ષમાં ત્રણ ટકા હતો. મુદ્રાસ્ફીતિ પર વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે ઘટીને 5.2 ટકા રહી જશે, જે હાલમાં જ પૂર્ણ થતા નાણાકીય વર્ષમાં 6.6 ટકા હતી.

વર્લ્ડ બેંકના અર્થશાસ્ત્રી ધ્રુવ શર્માના જણાવ્યા અનુસારા, અમેરિકા અને યુરોપના નાણાકીય બજારોમાં હાલની ઉથલ-પાથલે ભારત સહિત ઉભરતા બજારોમાં અલ્પકાલિક નિવેશના પ્રવાહ માટે જોખમ પેદા કર્યું છે. વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ભારતના સેવા નિર્યાત ઓક્ટોબર- ડિસેમ્બર ત્રિમાસિકમાં રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો હતો. તેના કારણે અર્થવ્યવસ્થાને બહારના જોખમોથી બચાવવામાં મદદ મળશે કારણ કે ધીમી વૈશ્વિક અર્થવ્યવસ્થાના કારણે દેશના વ્યાપારિક નિર્યાત પર અસર પડવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેવા ક્ષેત્રનો નિર્યાત હવે માત્ર આઈટી સેવાઓથી સંચાલિત નથી કરવામાં આવી રહ્યો, પરંતુ પરામર્શ અને અનુસંધાન અને વિકાસ જેવા વધુ આકર્ષક પ્રસ્તાવો દ્વારા પણ તે સંચાલિત થઈ રહ્યો છે.

આ સાથે જ વર્લ્ડ બેંકે કહ્યું છે કે, આજે ભારત સાથે સંબંધિત ઇન્ડિયા ડેવલપમેન્ટ રિપોર્ટ શેર કર્યો છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતનો વિકાસ આગળ પણ લચીલો બન્યો રહેશે પરંતુ, ત્યારબાદ પણ અર્થવ્યવસ્થામાં મહામારી બાદમાં સુધારો જોવા મળી શકે છે. ગ્લોબલ લેવલ પર હાલ ઘણા પ્રકારના પડકારો જોવા મળી શકે છે. આ સમયે પણ ભારત ઝડપથી વિકાસ કરનારી અર્થવ્યવસ્થાઓમાં બની રહ્યો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.