સસ્પેન્ડેડ IAS ઓફિસર અભિષેકને બકરી ઈદે 1 લાખ લોકોએ અનફોલો કર્યા, કારણ 1 ટોપી

બોલિવુડમાં જે  સસ્પેન્ડેડ IAS ઓફીસરનો સિક્કો ચાલતો હતો, તેમના ફોલોઅર્સમાં અચાનક મોટું ગાબડું પડી ગયું. તેમની એક પોસ્ટને કારણે 1 લાખ લોકોએ અનફોલો કરી દીધુ છે.

ઉત્તર પ્રદેશ કેડરના સસ્પેન્ડેડ IAS ઓફીસર અભિષેક સિંહ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. એક્ટિંગ અને બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ દરેક પાર્ટીમાં છવાયેલા રહેતા IAS અભિષેક સિંહને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આ ટ્રોલિંગનું કારણ શું છે તે જાણીને તમને આશ્ચર્ય થશે. IAS અભિષેકને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગના કારણે બહુ મોટું નુકસાન થયું છે, જેનો અંદાજ તેમને પણ નહીં હોય.

 
 
 
View this post on Instagram

A post shared by Abhishek Singh (@abhishek_as_it_is)

તાજેતરમાં IAS અભિષેકે બકરી ઇદના અવસર પર પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં IAS અભિષેક સિંહ લાલ કુર્તા પહેરેલા જોવા મળી રહ્યા છે. આ સાથે તેણે નેટવાળી મુસ્લિમ ટોપી પહેરી છે. આ ટોપી તમામ ટ્રોલિંગનું કારણ છે. જેના કારણે એક્ટર બનેલા IAS અભિષેકને સોશિયલ મીડિયા પર પોતાના એક લાખ ફોલોઅર્સ ગુમાવવા પડ્યા હતા.

IAS અભિષેકે આ તસવીર પોસ્ટ કરતા એક લાંબી પોસ્ટ શેર કરી હતી.આ પોસ્ટમાં, આ પોસ્ટની ટિપ્પણી માં, તેમણે લખ્યું કે મારી આ પોસ્ટ પછી, એક લાખ લોકોએ મને અનફોલો કરી દીધો છે. આ સાથે તેમણે એક સ્માઇલી ઈમોજી પણ પોસ્ટ કર્યું છે. આ તસવીરના કેપ્શનમાં અભિષેકે લખ્યું, 'आइए धीरे-धीरे शुरू करें.. इस ईद उल-अज़हा पर बकरीद मनाने के बजाय 'रकम ईद' मनाएं और त्योहार को और अधिक समावेशी बनाएं।આ સાથે, તેમણે કેપ્શનમાંઆ વિશે વિગતવાર લખ્યુ છે.

IAS અભિષેક સિંહ ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી છે. અભિષેક માત્ર સરકારી અધિકારી તરીકે જ જાણીતા નથી, બલ્કે તેમની ઓળખ એક અભિનેતા અને મોડલ તરીકે જાણીતી છે. અત્યારે IAS અભિષેકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત ચૂંટણી દરમિયાન પોતાની કાર સાથે ફોટો શેર કરવાને કારણે તેમને observer

તરીકેના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. એ પછી તેઓ રજા લઇને ગાયબ હતા. આ વિશે યોગી સરકારે તેમને કારણ દર્શક નોટીસ પણ પાઠવી હતી.

IAS અભિષેક જુબિન નૌટિયાલના મ્યૂઝિક આલ્બમાં પણ નજરે પડી ચૂક્યા છે. આ ઉપરાંત પણ તેઓ અનેક ગીતોમાં આવી ચૂક્યા છે. તેમણે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે મોડલ તરીકે પણ કામ કર્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by @varindertchawla

IAS અભિષેક સિંહ બોલિવુડની મોટાભાગની પાર્ટીમાં નજરે પડતા હોય છે. તેમણે  નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી ‘દિલ્હી ક્રાઇમ’ની બીજી સિઝનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. IAS અભિષેક જાણીતા IAS અધિકારી દુર્ગાશક્તિ નાગપાલના પતિ છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.