શિરડી સાંઈ બાબાના દર્શનાર્થે જઇ રહેલી બસનો ટ્રક સાથે અકસ્માત, 10 લોકોના મોત

મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે સવારે એક મોટી રોડ દુર્ઘટના થઇ ગઇ છે. નાસિક સિન્નાર રોડ પર એક ખાનગી લક્ઝરી બસની ટ્રક સાથે ટક્કર થઇ ગઇ. જેમાં 10 લોકોના મોત થઇ ગયા અને 35 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. રિપોર્ટ્સ મુજબ, બસમાં સવાર બધા મુસાફર સાંઈ બાબાના દર્શન કરવા માટે શિરડી જઇ રહ્યા હતા. શિરડી હાઇવે પર પઠારે શિવર પાસે એક બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ ગઇ. બસ સાંઈબાબાના ભક્તોને લઇને જઇ રહી હતી. ત્યારે તેની ટક્કર ટ્રક સાથે થઇ ગઇ.

બસમાં કુલ 45 મુસાફર હતા. તેમાંથી 10 લોકોના મોત ઘટનાસ્થળ પર જ થઇ ગયા હતા. મૃતકોમાં 7 મહિલાઓ, 2 નાના બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને નજીકની સાંઈબાબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોની હાલત ગંભીર છે. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને અકસ્માતના કારણોની જાણકારી મેળવવામાં આવી રહી છે.

પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રમાં નાસિક-અમદાવાદ હાઇવે પર શુક્રવારે સવારે એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 10 લોકોના મોત થઇ ગયા, જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માત મુંબઇથી લગભગ 180 કિલોમીટર દૂર નાસિકના સિન્નાર તાલુકામાં પઠારે શિવર પાસે સવારે લગભગ 7 વાગ્યે થયો છે.

ઇજાગ્રસ્તોને ગ્રામીણ હૉસ્પિટલ અને યશવંત હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે, જેથી મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાસિક-શિરડી હાઇવે પર થયેલા બસ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સંબંધિત અધિકારીઓને ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. એક રિપોર્ટ મુજબ રાજ્ય સરકાર ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ ઉઠાવશે.

મુખ્યમંત્રી કાર્યાલય (CMO) મુજબ, એકનાથ શિંદેએ નાસિકના વિભાગીય કમિશનર સાથે વાત કરી અને તેમને ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નાસિક અને શિરડી લઇ જવા અને અકસ્માતના કારણોની જાણકારી મેળવવા માટે તપાસના નિર્દેશ આપ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો બસ અને ટ્રક બંનેના ફુરચેફુરચા ઊડી ગયા છે. જાણકારી મળતા પહોંચેલી પોલીસે બસ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા. કહેવામાં આવી રહ્યું છે કે, બસમાં મોટી સંખ્યામાં લોકો સવાર થઇને શિરડી જઇ રહ્યા હતા. ત્યારે નાસિક-શિરડી હાઇવે પર ટ્રક સાથે ટકરાઇ ગઇ.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.