મહારાષ્ટ્ર સરકારના સમારોહમાં આવેલા 11 લોકોના લૂ લાગવાથી મોત, CMની વળતર જાહેરાત

નવી મુંબઈના ખારઘરમાં રવિવારે બપોરે થયેલા મહારાષ્ટ્ર ભૂષણ સન્માન સમારોહમાં સખત તડકા અને ભીષણ ગરમીથી બીમાર થયેલા 11 લોકોના મોત થઈ ગયા. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મોતોને ખૂબ જ દુઃખદ બતાવ્યા છે. તેમણે મૃતકોના સ્વજનોને 5-5 લાખ રૂપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી છે. જે લોકોની સારવાર ચાલી રહી છે, તેમનો ખર્ચ સરકાર ઉઠાવશે. સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ હતા.

બપોરે થયેલા આ સમારોહમાં અપ્પાસાહબ ધર્માધિકારીના લાખો સમર્થક સામેલ થયા હતા. તેમના બેસવાની વ્યવસ્થા સખત તાપમાં ખુલ્લા આકાશ નીચે કરવામાં આવી હતી, આ કરણે સખત તડકો અને ભીષણ ગરમીના પ્રભાવથી 100 કરતા વધુ લોકો બીમાર થઈ ગયા. તેમાંથી 50 લોકોને નવી મુંબઈની MGM હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. તેમાંથી એક ડઝનથી વધુ લોકોની હાલત અત્યારે પણ ગંભીર બનેલી છે. અત્યાર સુધી 11 લોકોના મોત થઈ ચૂક્યા છે અને એક ડઝનથી વધારે લોકોની હાલત ગંભીર બનેલી છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, કેટલાક દર્દીઓને નવી મુંબઈ અને પનવેલની હૉસ્પિટલોમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બપોરે સમારોહ સ્થળ પર તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ હતું. આટલી ગરમીમાં લોકોને કલાકો સુધી તડકામાં બેસવું પડ્યું. લોકોની તબિયત બગડવાની જાણકારી મળતા જ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ MGM હૉસ્પિટલની મુલાકાત લીધી અને માન્યુ કે સખત તાપમાં બેસવાના કારણે લોકોની તબિયત બગડી. આ કાર્યક્રમમાં અમિત શાહ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતા.

આ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સમાજસેવી ડૉ. દત્તાત્રેય નારાયણ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ સન્માનથી સન્માનિત કર્યા. રાજ્ય સરકાર તરફથી પ્રદાન કરવામાં આવતું આ સન્માન પહેલી વખત કોઈ એક જ પરિવારના બીજા સભ્યને મળ્યું છે. અપ્પાસાહેબ ધર્માધિકારીના નામથી પ્રસિદ્ધ ડૉ. ધર્માધિકારીના પિતા ડૉ. નારાયણ વિષ્ણુ ધર્માધિકારી દ્વારા સામાજિક ક્ષેત્રે શરૂઆતમાં કરેલા કાર્યોને હવે તેમના પુત્ર આગળ વધારી રહ્યા છે.

તેમના દ્વારા સમાજના ઘણા મોટા વર્ગને સાથે લઈને વૃક્ષારોપણ, નશામુક્તિ અને રક્તદાન સહિત ઘણા ક્ષેત્રમાં કામ કરવામાં આવી રહ્યા છે. તેમના આ જ સેવાકાર્યોનું પરિણામ છે કે મહારાષ્ટ્રના લાખો લોકો તેમની સાથે જોડાયેલા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.