કારની સીટનું કવર ફાડ્યું તો IT અધિકારીઓને 12 કિલો સોનું મળ્યુ,1500 કરોડના..

દેશભરમાં છેલ્લાં 3 દિવસથી બુલિયન બિઝનેસમેન અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોના 55 સ્થળોએ આવકવેરા વિભાગે સાગમટે દરોડા પાડેલા છે અને હજુ દરોડાની કાર્યવાહી વધુ 3 દિવસ ચાલી શકે છે. જાણવા મળેલી માહિતી મુજબ આ દરોડામા અત્યાર સુધીમાં આવકવેરા વિભાગને 8 કરોડ રૂપિયા રોકડા, 70 કિલો સોના-ચાંદી અને 1500 કરોડ રૂપિયાના નકલી બિલ મળી આવ્યા છે.

શનિવારે આવકવેરા અધિકારીઓની ટીમે ઉત્તર પ્રદેશના કાનપુરમાં બુલિયન વેપારીના ઘર પાસે પાર્ક કરેલી કાર તપાસી હતી અને કારનું સીટ કવર ફાડી નાંખ્યું તો તેમાંથી 12 કિલો સોનું મળી આવ્યું હતું.ચોંકવનારી વાત એ છે કે આ બુલિયન વેપારી જે લોકોના નામના નકલી બિલ બનાવીને બ્લેક મનીને વ્હાઇટ બનાવી રહ્યો હતો. તેમાં એક નામ ડ્રાઇવરનું પણ છે. ડ્રાઇવરના નામે બુલિયન વેપારીએ 200 કરોડ રૂપિયાના ઘરેણાં ખરીદેલા બતાવ્યા છે.

આટલું જ નહી, ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા દરોડામાં સામે આવ્યું છે કે રાધામોહન પુરુષોત્તમ દાસ જ્વેલર્સે એક નકલી કંપનીને 700 કરોડના માલનું વેચાણ બતાવ્યું છે. આવી જ રીતે હજારો કરોડ રૂપિયાને વ્હાઇટ કરીને રિયલ એસ્સેટમાં ખપાવી દેવામાં આવી રહ્યા હતા.

જાણવા મળેલી માહિતી મુજબ બુલિયન વેપારીઓએ કેટલાંક એવા લોકોના નામે સોનાની ખરીદી બતાવી જેમની એટલી હેસિયત પણ નથી. આવકવેરા અધિકારીઓને માહિતી મળી કે, દેશમાં સોનાની દાણચોરી થઈ રહી છે  અને એ દાણચોરીનું સોનું બુલિયન વેપારીઓ દ્વારા ખરીદવામાં આવી રહ્યું છે. આ વેપારીઓ અન્ય લોકોના પાન કાર્ડ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઓછા દરે સોનું ખરીદતા હતા.

આવા ઘણા લોકો આવકવેરા વિભાગના સંપર્કમાં આવ્યા છે જેમના નામે આ ખરીદી કરવામાં આવી રહી હતી અને તેઓને તેની જાણ પણ ન હતી. આ કામ માટે અન્ય કેટલાક લોકોને પૈસા આપવામાં આવતા હતા. દરોડામાં આવા કેટલાક પુરાવા મળ્યા છે, જે મુજબ આ વેપારીઓ કૃત્રિમ રીતે નુકસાન અને નફાના આંકડા સાથે છેડછાડ કરીને ટેક્સ ચોરી કરતા હતા.

રિતુ હાઉસિંગના પ્રમોટર સંજીવ ઝુનઝુનવાલાના ઘરેથી આવકવેરા અધિકારીઓને એક હાર્ડ ડિસ્ક પણ મળી આવી છે, જેમાં તેની જમીન અને ટ્રાન્ઝેક્શનની તમામ વિગતો છે અને જેમની સાથે તેણે આ રીતે બિઝનેસ કર્યો છે તેમના નામ પણ છે. ઈન્કમટેક્સ અધિકારીઓની વાત માનીએ તો આ દરોડામાં કેટલાક મોટા નામો સામે આવ્યા છે, જેના પર આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે. કાર્યવાહી પૂર્ણ થયા પછી, વિગતવાર અહેવાલ બનાવવામાં આવશે અને અન્ય એજન્સીઓ સાથે પણ શેર કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.