12મું પાસ, સ્નાતક, અનુસ્નાતક...,હવે યુવાનોને સન્યાસી-બ્રહ્મચારી બનાવશે રામદેવ

યોગ ગુરુ બાબા રામદેવ પોતાના નિવેદનોને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહેતા હોય છે. હવે બાબા રામદેવે યુવાનોને ખાસ અપીલ કરી છે. યોગગુરુ સ્વામી રામદેવે દેશના યુવાનોને સાધુ બનવાનું આમંત્રણ આપ્યું છે. આ માટે તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી શેર કરવાની સાથે અખબારોમાં જાહેરાત પણ આપી છે.

બાબા રામદેવે આમાં જણાવ્યું છે કે, જે યુવક-યુવતીઓ સાધુ બનવા માગે છે તેમને કઈ શરતો પૂરી કરવી પડશે. આ માટે સંન્યાસ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જે 22 માર્ચથી શરૂ થશે અને રામ નવમી એટલે કે 30 માર્ચ સુધી ચાલશે. આ માટે 12મું પાસ, સ્નાતક, અનુસ્નાતક યુવક-યુવતીઓ અરજી કરી શકશે.

બાબા રામદેવે જાહેર કરેલા પોસ્ટરમાં કહ્યું છે કે, 'કોઈ પણ જાતિ અને સમુદાયમાં જન્મેલો એક સીધો- સાદો અને સામાન્ય માણસ મોટી-મોટી ક્રાંતિ લાવી શકે છે. માત્ર તે શકિતશાળી અને સખત મહેનત કરનારો હોવો જોઈએ.'

બાબા રામદેવે યુવાનોને રામ નવમી પર પતંજલિમાં આવવા અને તેમની પાસેથી દીક્ષા લેવા અને તપસ્વી જીવન જીવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, યુવાનોએ પતંજલિ યુનિવર્સિટીમાં આવીને શિક્ષણ અને દીક્ષા મેળવવું જોઈએ અને પોતાની અંદર મહાન ઋષિમુનિઓ જેવું વ્યક્તિત્વ બનાવવું જોઈએ.

પોસ્ટરમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ જાતિ અને પ્રાંતના માતા-પિતા તેમના પ્રતિભાશાળી બાળકોને શિક્ષણ-દીક્ષા લઈને કુળનું અને વંશના નામને ગૌરવ અપાવવા માટે સ્વામી રામદેવ પાસે સાધુ બનાવવા માટે મોકલી શકે છે. આ બાળકો સનાતન ધર્મ પ્રત્યે સમર્પિત રહેશે.

આમાં આગળ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ યુવક-યુવતી પોતાની મરજીથી સન્યાસ લેવા આવવા માંગે છે અને તેના માતા-પિતા તેને અજ્ઞાનતા કે તેમની લાગણીને કારણે સમજી શકતા નથી. તો તેઓ માતા-પિતાની પરવાનગી વિના પણ પતંજલિ યોગપીઠમાં આવી શકે છે. સ્વામી રામદેવ અને મહર્ષિ દયાનંદ જેવા મોટા ભાગના સન્યાસીઓ આ રીતે જ તૈયાર થયા છે.

બાબા રામદેવે દાવો કર્યો છે કે, પતંજલિ વિશ્વવિદ્યાલય યોગમાં BA, MA, BAMS અને BYNS તેમજ ફિલોસોફી, વેદશાસ્ત્ર અને વ્યાકરણ સહિત સંસ્કૃત અને સાહિત્યમાં BA અને MA પણ કરી શકશે. બાબા રામદેવની આ સન્યાસી બનવાની જાહેરાત ખૂબ જ રસપ્રદ છે. હવે જોવાનું એ રહેશે કે યુવાનો આ જાહેરાત પર કેવી પ્રતિક્રિયા આપે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.