કૂતરાએ બચકું ભરતા 14 વર્ષીય છોકરાનું મોત, સારવાર માટે ભટકતો રહ્યો પિતા

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રેબીજથી 14 વર્ષીય છોકરાનું દર્દનાક મોત થઈ ગયું. લગભગ 4 દિવસ અગાઉ બાળકમાં રેબીજના લક્ષણ નજરે પડ્યા હતા. તે હવા-પાણીથી ડરવા લાગ્યો હતો અને અંધારામાં રહેવા લાગ્યો હતો. બાળકની ખરાબ હાલતને જોતા પરિવારજનો તેને હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ ડૉક્ટરોએ દાખલ કરવાની ના પાડી દીધી. આ ઘટના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારની ચરણ સિંહ કૉલોનીની છે. અહીં રહેનારા યાકૂબનો મોટો દીકરા સાબેજને લગભગ એક મહિના અગાઉ કૂતરાએ બચકું ભરી લીધું હતું.

જો કે, ડરના કારણે છોકરાએ પોતાના પરિવારજનોને કૂતરા દ્વારા બચકું ભરવાની સૂચના નહોતી આપી. લગભગ 4 દિવસ અગાઉ બાળકોમાં રેબીજના લક્ષણ નજરે પડવા લાગ્યા. શરૂઆતમાં પરિવારજનો કંઇ સમજી ન શક્યા. જેના કારણે તેની હાલત બગડી ગઈ. બાળકના વ્યવહારમાં બદલાવ આવવાથી પરિવારજનો તેને હૉસ્પિટલ લઈને પહોંચ્યા. જ્યાં તપાસ બાદ ડૉક્ટરોએ તેને દાખલ કરવાની ના પાડી દીધી અને તેનું તડપી તડપીને મોત થઈ ગયું. પરિવારજનોનું કહેવું છે કે, તેઓ પોતાના બાળકોની સારવાર માટે ગાઝિયાબાદની એમ.એમ. હૉસ્પિટલ સિવાય મેરઠ, દિલ્હીની GBT અને AIIMS લઈને ગયા, પરંતુ સોમવારે રાત્રે બાળકનું મોત થઈ ગયું.

પરિવારજનોના જણાવ્યા મુજબ, સાબેજને લગભગ એકઠી દોઢ મહિના અગાઉ પાડોશમાં રહેતા કૂતરાએ બચકું ભરી લીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ચરણ સિંહ કોલોનીમાં રહેનારી એક મહિલા એ કૂતરાને પાળે છે અને સ્ટ્રીટ ડોંગને ફીડ કરવાનું કામ કરે છે. 5-6 કૂતરા ત્યાં રહે છે જે ઘણા લોકોને બચકાં ભરી ચૂક્યા છે. પરિવારજનોનો આરોપ છે કે, એ જ મહિલાના કૂતરાએ તેના દીકરાને બચકું ભરી લીધું છે. આ ઘટના બાદ બાળકના માતા-પિતાની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. તેમનું કહેવું છે કે જેવું તેમના સંતાન સાથે થયું, એવું કોઈ પણ બાળક સાથે ન થાય. તેના માટે પ્રશાસન આવશ્યક પગલાં ઉઠાવે અને કાયદાકીય કાર્યવાહી કરે. તો મ્યુનિસિપલ કોર્પોરેશને સ્ટ્રીટ ડોંગને ફીડ કરનારી મહિલાને નોટિસ મોકલી છે.

નોટિસમાં લખવામાં આવ્યું છે કે, તેમના દ્વારા ગેરકાયદેસર રીતે કૂતરાઓને પાળવામાં આવી રહ્યા છે, જેથી આસપાસના લોકોને પરેશાની થઈ રહી છે અને રેબીજ ફેલાવાનું જોખમ બનેલું છે. તમે વહેલી તકે કૂતરાઓનું વેક્સીનેશન કરવો નહિતર તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ 5,000 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવશે. SP સિટી નિમિષ પટેલે જણાવ્યું કે, ગાઝિયાબાદના 14 વર્ષીય માસૂમનું કૂતરા દ્વારા બચકું ભરવાથી મોત થવાની ઘટનામાં પોલીસ દ્વારા પરિવારજનોના કહેવા પર કેસ નોંધી લીધો છે. સાથે જ આગળની કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.