નહેરમાં નાહવાથી 15 ભેંસના મોત, 500થી વધુ દાઝી, જાણો શું છે આખો મામલો

હરિયાણાના રોહતકથી એક ખૂબ જ માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં બેખતા ગામમાં અજાણ્યા લોકો દ્વારા નહેરમાં કેમિકલ નાખી દેવામાં આવ્યું હતું. નહેરમાં પાણી પીવા પહોંચેલી લગભગ 15 ભેંસો કેમિકલવાળું પાણી પીવાના કારણે મોતને ભેટી. તો લગભગ 500ની આસપાસ ભેંસો દાઝી ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. તેની સાથે ભેંસો સાથે પાણી પીવા ઉતરનારા કેટલાક સ્થાનિક લોકો પણ દાઝી ગયા છે. સરપંચ તરફથી ફરિયાદ કર્યા બાદ અજાણ્યા ઇસમો વિરુદ્ધ સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે.

ગ્રામજનો આ ઘટના બાદ ખૂબ જ ગુસ્સામાં છે. ઘટનાને લઈને રોહતકના DC અને SPને મળવા પહોંચ્યા હતા. અજાણ્યા ઇસમો વિરુદ્ધ સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. આ દરમિયાન આરોપીની જાણકારી મેળવીને જલદી કાર્યવાહી કરવાની માગ કરી. ગ્રામજનોને કેમિકલનું સેમ્પલ પોતે જ તપાસ માટે મોકલવા પડ્યા. હાલમાં આખા ગામમાં ડરનો માહોલ છે. બખેતા ગામના સરપંચ ચાંદ સિંહે કહ્યું કે, ગામના બધા લોકો પશુઓને પાણી પીવાડે છે. નવડાવે છે.

અચાનક નહેરમાં ઉતરવાથી ભેંસો દાઝી અને તડપવા લાગી. તપાસ કરવામાં આવી તો ખબર પડી કે નહેરમાં કોઈએ હાનિકારક કેમિકલ નાખ્યું છે. તેના કારણે 15 ભેંસોના મોત પણ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે દેશના ગ્રામીણ ક્ષેત્રો માટે પશુપાલન આવકનો સૌથી મોટો સ્ત્રોત તરીકે ઊભરી આવ્યો છે. મોટી સંખ્યામાં ગ્રામજનો આ વ્યવસાય દ્વારા પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. એવામાં આ પ્રકારની ઘટનાઓ પશુપાલન વ્યવસાય માટે ક્યારેય સારી નથી. તેનાથી ખેડૂત પોતાના પશુઓને ગુમાવી રહ્યા છે, સાથે જ આર્થિક રીતે પણ તેમને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.

આ અગાઉ ગજરાતના ભરૂચ જિલ્લામાં પાણી પીવાની સાથે જ 25 ઊંટોના મોત થઈ જવાના સમાચાર સામે આવ્યા હતા. ઊંટોના ટોળાએ ગામની બહાર સ્થિત તળાવમાંથી પાણી પીધું હતું, ત્યારબાદ એકાએક તેમના મોત થવાની શરૂઆત થઈ ગઇ હતી. આ ઘટના વાગરા તાલુકાના કચ્છીપુરામાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ક્રૂડ ઓઇલની પાઈપલાઇનમાંથી લિકેજ થવાથી પાણી ઝેરી થઈ ગયું હતું અને આ જ કારણે ઊંટોએ જેવું જ પાણી પીધું તેમનું મોત થઈ ગયું હતું. ગ્રામજનોનું કહેવું હતું કે, દૂષિત પાણીથી મોટા ભાગે લોકો બીમાર થઈ જાય છે અને ઘણા મોત પણ થઈ ચૂક્યા છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.