1500 મહેમાનોને ખવડાવ્યું, 10 લાખનો ખર્ચો...કિન્નરે દીકરીના લગ્ન ધામધૂમથી કરાવ્યા

સામાન્ય રીતે વ્યંઢળોને સમાજમાં યોગ્ય સન્માન મળતું નથી અને તેઓને હંમેશા તિરસ્કાર અને હીન દ્રષ્ટિથી જોવામાં આવે છે. તેમને સમાજમાં તે હક, અધિકાર અને સન્માન નથી મળતું, જે એક સામાન્ય પુરુષ કે સ્ત્રીને મળે છે. પરંતુ ફતેહપુર શેખાવટીમાં એક વ્યંઢે સમાજને અરીસો બતાવાય એવું એક એવું ઉદાહરણ રજૂ કર્યું, જેના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે.

હકીકતમાં, અહીં એક વ્યંઢે તેની માનેલી(મુંહબોલી) દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી કરાવ્યા. આટલું જ નહીં તેણે લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. મળતી માહિતી મુજબ, પૂનમ બાઈ નામની એક વ્યંઢળે આર્થિક રીતે નબળા પરિવારની દીકરીને પોતાની ધર્મપુત્રી બનાવી હતી. પછી તેના લગ્નનો સમગ્ર ખર્ચ પણ ઉઠાવ્યો.

તેણે લગ્નમાં 10 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. 1500થી વધુ લોકો માટે પ્રીતિ ભોજનનું આયોજન કર્યું. ત્રણ દિવસ સુધી ધામધૂમથી લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો. સગાઈથી લઈને મામેરું ભરવાનું સહિતની લગ્નની દરેક વિધિ કરવામાં આવી હતી. આ લગ્ન હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ લગ્નમાં કિન્નર સમાજના ઘણા લોકોએ ભાગ લીધો હતો. જ્યારે, ભત્રીજીએ તેની ફોઈ દ્વારા લગ્નમાં કરવામાં આવતી તમામ વિધિઓ કરવા બદલ દિલથી આભાર માન્યો હતો. લગ્ન બાદ કિન્નર પૂનમે વર-કન્યાને આશીર્વાદ આપ્યા અને તેમને વિદાય આપી.

મળતી માહિતી મુજબ, કિન્નર પૂનમે પોતે જ પોતાની માનેલી પુત્રી માટે વર શોધી કાઢ્યો હતો.

અહીં જણાવવામાં આવી રહ્યું છે કે, ઈન્દ્રચંદ સોનીની આ વિસ્તારમાં ચાની દુકાન છે. પૂનમ બાઈ અવારનવાર તેમની દુકાને આવતી. જ્યારે તેને ખબર પડી કે ઈન્દ્રચંદની આર્થિક હાલત ખૂબ જ ખરાબ છે અને તેની એક પુત્રી અન્નપૂર્ણા પણ છે, જેના લગ્નને લઈને તે ખૂબ જ ચિંતિત છે. તેથી પૂનમે તેને પોતાની ધર્મપુત્રી બનાવી હતી. પછી તેના માટે પોતે સંબંધ શોધવા લાગ્યા હતા.

પછી તેને અન્નપૂર્ણા માટે સંબંધ મળ્યો પણ ખરો. અન્નપૂર્ણાના સંબંધ શહેરના જ પંડિત ઉમાશકરના પુત્ર રજનીશ સાથે નક્કી થયા હતા.

તેણે પોતે તેની સગાઈ વગેરેની વિધિઓ કરી અને તેના લગ્ન કરાવ્યા. લગ્નમાં માનેલી દીકરીને લાખોના દાગીના પણ અપાયા હતા.

પૂનમ બાઈએ કહ્યું કે, ભગવાને મને માતૃત્વના સુખથી વંચિત રાખી. અમને વ્યંઢળોને પણ સામાન્ય માણસ જેવી લાગણી હોય છે. અમે પણ આ સમાજનો જ એક ભાગ છીએ. પરંતુ કમનસીબે અમને સમાજમાં તે સ્થાન મળતું નથી જેના અમે લાયક છીએ.

જ્યારે હું અન્નપૂર્ણાને મળી ત્યારે મેં મારી પુત્રીને તેનામાં જોઈ. મેં તેને મારી દીકરી માનીને તેના લગ્ન કરાવ્યા. મને એવું લાગે છે કે, જાણે મેં મારી પોતાની સગી દીકરીને પરણાવી દીધી હોય.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.