આઝમગઢમાં હિંદુમાંથી મુસ્લિમ બનાવવાનો ખેલ, 2 મહિલા,16 પુરૂષની ધરપકડ

24 મેની રાત્રે આઝમગઢમાં હિન્દુઓને મુસ્લિમ બનાવવાનો ખેલ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં જનરેટર ચલાવીને ઢોલ અને હાર્મોનિયમ વગાડીને કવ્વાલી પણ ગાવામાં આવી રહી હતી. આ સાથે મુસ્લિમ ધર્મના વખાણ કરવામાં આવી રહ્યા હતા અને હિન્દુ ધર્મની માન્યતાઓને દંભ, જુઠ્ઠાણું ગણાવવામાં આવી રહી હતી. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગેંગનો પદાર્ફાશ કરી દીધો છે.

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં બુધવારે મોડી રાત્રે પોલીસે એક ધાર્મિક કાર્યક્રમમાં દરોડો પાડ્યો હતો. અહીં અનેક વાંધાજનક સામગ્રી મળી આવી છે. ઉપરાંત, કવ્વાલ અને ધર્માંતરણ રેકેટના માસ્ટરમાઇન્ડ સહિત 18 લોકો આ પ્રસંગે હાજર હતા. જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે. તેમની સામે અનેક કલમોમાં કેસ નોંધીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

આ મામલો દેવગાંવ પોલીસ સ્ટેશન હેઠળના ચિરકીહિટ ગામનો છે. પોલીસે જણાવ્યું કે ચિરકીહીટ ગામમાં લાલચ આપીને હિંદુમાંથી મુસ્લિમ બનવાની માહિતી મળી હતી. આ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યાં જઇને જોયું તે ઘણા લોકો ભેગા થયેલા હતા. ત્રિશુલ, ફૂલોની માળા અને લીલા કપડા બાંધીને મઝાર પર કવ્વાલી ગાતી વખતે તમામ લોકો તકરીર વાંચી રહ્યા હતા.

પોલીસે સ્થળે ઘેરાબંધી કરીને ધર્માંતરણ કરાવનાર બે મહિલાઓ અને 16 પુરૂષોની ધરપકડ કરી છે આરોપીએ કહ્યું કે અમને હિંદુમાંથી મુસ્લિમ બનાવવા માટે પૈસા મળે છે. આજે પણ અમે ધર્મ પરિવર્તન કરાવવા ભેગા થયા હતા. પોલીસે મોટી માત્રામાં સામાન જપ્ત કર્યો હતો. જેમાં 7 ત્રિશુલ, બે ફોટા, બે ડ્રમ, બે સાઉન્ડ મિક્સર, એક હાર્મોનિયમ, ભગોના, ગેસ સિલિન્ડર, ગેસનો ચૂલો, એક જનરેટર, એક ટેમ્પો ટેન્ટ, એક બુલેટ અને એક એર્ટીગા કાર મળી આવી છે.

પોલીસે જેમની ધરપકડ કરી છે તેમાં,અવધેશ, સરોજ, ઉષા દેવી, પન્નાલાલ, ફરીદ મોહમ્મદ, મોહમ્મદ શબરોઝ, રમઝાન, રશાદ, શહાબુદ્દીન, સિકંદર, હસીના, મોહમ્મદ જાવેદ, કુંદન, પરવેઝ, ઈરફાન, સાબીર અલી, આકાશ, સરોજ અને જાવેદ અહેમદનો સમાવેશ થાય છે.

આઝમગઢના SP અનુરાગ આર્યએ કહ્યું હતું કે, ચિરકિહિટ ગામમાં અવધેશ પાસીના ઘર પાસે લોકો ધર્મ પરિવર્તનનના આશયથી ભેગા થયાની માહિતી મળતા પોલીસ સાદા વેશમાં પહોંચી હતી અને પહેલા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં કન્ફર્મ થયું એટલે મોટા પાયે પોલીસ કાફલો મોકલીને 18ની ધરપકડ કરવામાં આવી હતી. આ ગેંગનો માસ્ટર માઇન્ડ મેનપુરીનો સિંકદર છે જેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

અવધેશે જણાવ્યું કે તે ચાર-પાંચ વર્ષથી બારાબંકી દેવા શરીફ જઈ રહ્યો હતો. ત્યાં તેની મુલાકાત સિકંદર સાથે થઈ. સિકંદર દેવા શરીફમાં વળગાડનું કામ કરતો હતો. હાલ સમગ્ર પ્રકરણની તપાસ માટે જિલ્લા કક્ષાએ વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. આ સાથે એલઆઈયુ અને અન્ય એજન્સીઓ દ્વારા સ્થાનિક સ્તરે વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.