ચૂંટણી સફળતાઓના હિસાબે BJP માટે સારું રહ્યું 2022, 2023માં આ પડકાર હશે સામે

ચૂંટણી સફળતાઓના હિસાબે જોવા જઇએ તો ભાજપ માટે વર્ષ 2022 ખૂબ શાનદાર રહ્યું. પાર્ટીને જ્યાં પોતાના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં ઐતિહાસિક જીત મળી છે, તો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરમાં ફરીથી શાનદાર બહુમત સાથે સરકાર બનાવીને ભાજપે આ રાજ્યોમાં પણ રાજનૈતિક જીતના નવા રેકોર્ડ બનાવ્યા. ગોવામાં પણ ભાજપ ફરી સરકાર બનાવવામાં સફળ રહી. હવે વર્ષ 2023 ભાજપ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ રહેવાનું છે કેમ કે આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી વર્ષ 2024ની લોકસભાં ચૂંટણીની દિશા અને દશા નક્કી કરશે.

વર્ષ 2023માં રાજસ્થાન છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને જમ્મુ કાશ્મીર સહિત કુલ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં વર્તમાનમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપનારી ભાજપ રાજસ્થાનમાં અશોક ગેહલોતને અને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલને હરાવીને ગાંધી પરિવાર અને કોંગ્રેસ બંનેને ઝટકો આપવા માગે છે કેમ કે આ બંનેને જ નેતા ગાંધી પરિવારના ખૂબ નજીકના માનવામાં આવે છે.

આ વર્ષે કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ બે રાજ્યોમાં વર્તમાનમાં ભાજપની સરકાર છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેની સીધી સ્પર્ધા કોંગ્રેસ સાથે થવાની છે. ભાજપ સામે પોતાના મજબૂત કિલ્લા મધ્ય પ્રદેશમાં સત્તા બચાવવા અને દક્ષિણ ભારતના એક માત્ર રાજ્ય કર્ણાટકમાં ફરીથી સરકાર બનાવવાનો પડકાર હશે. ભાજપે આ બંને રાજ્યો માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણી થાય તેવી સંભાવના છે.

આ ચૂંટણી ભાજપ માટે ખૂબ મહત્ત્વની રહેવાની છે. જમ્મુમાં પહેલાથી જ ભાજપ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ પાર્ટી આ વખત કાશ્મીર વેલીમાં મજબૂત ઉપસ્થિતિ નોંધવવા માટે એડીચોટીનું જોર લગાવશે. કલમ 370 સમાપ્ત કર્યા બાદ જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં ભાજપનું સારું પ્રદર્શન તેના રાજનૈતિક વિરોધીઓને બેકફૂટ પર લઇ જશે. ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં પણ આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે. ત્રિપુરામાં વર્તમાનમાં ભાજપની સરકાર છે. ચૂંટણી રાજનીતિ હેઠળ ત્રિપુરામાં પણ ભાજપે પોતાના મુખ્યમંત્રી બદલ્યા છે.

સંભાવના છે કે વર્ષની શરૂઆતમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યકાળ આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણી સુધી કરી દેવામાં આવે. વર્ષ 2023માં થનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ બનાવવા અને જમીની સ્તર પર ઉતારવાની રીતની સમીક્ષા ભાજપનું હાઇકમાન સમય-સમય પર દિલ્હી અને આ રાજ્યોની રાજધાનીઓ પર જઇને કરશે. આ બેઠકોની કમાન મુખ્ય રીતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષના હાથોમાં હશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.