બાગેશ્વર ધામમાંથી ગાયબ થઈ રહ્યા છે લોકો! 4 મહિનામાં 21 લોકો થયા ગૂમ

મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લાના બાગેશ્વર ધામની ચર્ચાઓ સમગ્ર દેશમાં છે. દેશ-દુનિયાના લોકો પોતાની અરજી લગાવવા માટે બાગેશ્વર ધામમાં દરરોજ પહોંચી રહ્યા છે. અહીં અઠવાડિયાના મંગળવાર અને શનિવારે ભક્તોની વધુ ભીડ ઉમટે છે. એટલું જ નહીં, આ બે દિવસમાં ભક્તોની સંખ્યા લાખો સુધી પહોંચી જાય છે. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે, ઈશ્વરની પાસે કંઇક માંગવાની ઇચ્છા લઇને આવેલા ઘણા લોકો ધામમાં પોતાના સ્વજનોને ગુમાવી દે છે. એટલે કે બાગેશ્વર ધામમાંથી અત્યારસુધીમાં ઘણા લોકો ગાયબ થઈ ચુક્યા છે અને તેમનો કોઈ પત્તો પોલીસને પણ મળ્યો નથી.

બાગેશ્વર ધામમાંથી ગાયબ થનારા લોકોમાં ઘણા તો માનસિક બીમાર છે અને ઘણા એવા છે જે ભીડ વધુ હોવાના કારણે પોતાના પરિવારજનોથી વિખૂટા પડી ગયા છે. જેમની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. પોતાના ગૂમ થઈ ગયેલા લોકોની શોધમાં દેશના અન્ય રાજ્યોમાં રહેતા તમામ લોકો પોલીસ સ્ટેશન અને ધામના કાર્યલયના ચક્કર કાપી રહ્યા છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, 1 જાન્યુઆરી 2023થી અત્યારસુધી બાગેશ્વર ધામમાંથી 21 લોકો ગાયબ થયા છે. તેમાંથી 9 લોકોની જાણકારી મળી ચુકી છે, પરંતુ 12 લોકો હજુ પણ ગૂમ જણાવવામાં આવી રહ્યા છે. હાલ, પોલીસ તેમના સુધી પહોંચી નથી શકી. છત્તરપુર જિલ્લાના પોલીસના કેપ્ટન અમિત સાંઘીનું કહેવુ છે કે, ગાયબ થયેલા અન્ય 12 લોકો સુધી પણ પોલીસ પહોંચવાનો સતત પ્રયાસ કરી રહી છે. પરિવારજનો તરફથી ફરિયાદ મળ્યા બાદથી સતત પોલીસ ગૂમ થયેલા લોકોને શોધી રહી છે.

બાગેશ્વર ધામ મંદિર મધ્ય પ્રદેશ રાજ્યના છત્તરપુર જિલ્લામાં આવેલું છે. જિલ્લાના ગંજ નામના ગામથી 35 કિમી દૂર ગઢા ગામ છે અને તે જ ગામમાં હનુમાનજી મહારાજનું એક મંદિર છે. આ મંદિરના પ્રાંગણમાં બાગેશ્વર ધામ અને હનુમાનજી બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રસિદ્ધ છે.

બાગેશ્વર ધામ સરકારના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે, જે બાગેશ્વર ધામના પીઠાધિશ્વરના નામથી પ્રખ્યાત છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દેશભરમાં ધાર્મિક કથાઓનું વાંચન કરે છે. સાથે જ આ કથાવાચક સતત પોતાના ચર્ચિત નિવેદનો અને કથાઓ દરમિયાન ભરાનારા દિવ્ય દરબારને લઇને ચર્ચામાં રહે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.