બાગેશ્વર ધામમાંથી ગાયબ થઈ રહ્યા છે લોકો! 4 મહિનામાં 21 લોકો થયા ગૂમ

મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લાના બાગેશ્વર ધામની ચર્ચાઓ સમગ્ર દેશમાં છે. દેશ-દુનિયાના લોકો પોતાની અરજી લગાવવા માટે બાગેશ્વર ધામમાં દરરોજ પહોંચી રહ્યા છે. અહીં અઠવાડિયાના મંગળવાર અને શનિવારે ભક્તોની વધુ ભીડ ઉમટે છે. એટલું જ નહીં, આ બે દિવસમાં ભક્તોની સંખ્યા લાખો સુધી પહોંચી જાય છે. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે, ઈશ્વરની પાસે કંઇક માંગવાની ઇચ્છા લઇને આવેલા ઘણા લોકો ધામમાં પોતાના સ્વજનોને ગુમાવી દે છે. એટલે કે બાગેશ્વર ધામમાંથી અત્યારસુધીમાં ઘણા લોકો ગાયબ થઈ ચુક્યા છે અને તેમનો કોઈ પત્તો પોલીસને પણ મળ્યો નથી.

બાગેશ્વર ધામમાંથી ગાયબ થનારા લોકોમાં ઘણા તો માનસિક બીમાર છે અને ઘણા એવા છે જે ભીડ વધુ હોવાના કારણે પોતાના પરિવારજનોથી વિખૂટા પડી ગયા છે. જેમની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. પોતાના ગૂમ થઈ ગયેલા લોકોની શોધમાં દેશના અન્ય રાજ્યોમાં રહેતા તમામ લોકો પોલીસ સ્ટેશન અને ધામના કાર્યલયના ચક્કર કાપી રહ્યા છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, 1 જાન્યુઆરી 2023થી અત્યારસુધી બાગેશ્વર ધામમાંથી 21 લોકો ગાયબ થયા છે. તેમાંથી 9 લોકોની જાણકારી મળી ચુકી છે, પરંતુ 12 લોકો હજુ પણ ગૂમ જણાવવામાં આવી રહ્યા છે. હાલ, પોલીસ તેમના સુધી પહોંચી નથી શકી. છત્તરપુર જિલ્લાના પોલીસના કેપ્ટન અમિત સાંઘીનું કહેવુ છે કે, ગાયબ થયેલા અન્ય 12 લોકો સુધી પણ પોલીસ પહોંચવાનો સતત પ્રયાસ કરી રહી છે. પરિવારજનો તરફથી ફરિયાદ મળ્યા બાદથી સતત પોલીસ ગૂમ થયેલા લોકોને શોધી રહી છે.

બાગેશ્વર ધામ મંદિર મધ્ય પ્રદેશ રાજ્યના છત્તરપુર જિલ્લામાં આવેલું છે. જિલ્લાના ગંજ નામના ગામથી 35 કિમી દૂર ગઢા ગામ છે અને તે જ ગામમાં હનુમાનજી મહારાજનું એક મંદિર છે. આ મંદિરના પ્રાંગણમાં બાગેશ્વર ધામ અને હનુમાનજી બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રસિદ્ધ છે.

બાગેશ્વર ધામ સરકારના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે, જે બાગેશ્વર ધામના પીઠાધિશ્વરના નામથી પ્રખ્યાત છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દેશભરમાં ધાર્મિક કથાઓનું વાંચન કરે છે. સાથે જ આ કથાવાચક સતત પોતાના ચર્ચિત નિવેદનો અને કથાઓ દરમિયાન ભરાનારા દિવ્ય દરબારને લઇને ચર્ચામાં રહે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.