નેપાળમાં 24 ભારતીયો ભીખ માગતા ઝડપાયા, ભારતમાં કુદરતી આફતથી પીડિત હોવાનું કહી...

નેપાળથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નાના નાના બાળકોની સાથે નેપાળની સડકો પર ભીખ માગતા 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બોગસ દસ્તાવેજોને આધારે 24 ભારતીયો નેપાળ પહોંચ્યા હતા અને જાહેરમાં ભીખ માંગતા હતા. પોલીસના ધ્યાન પર આ વાત આવતા તમામની ધરપકડ કરીને પછી ભારત પાછા મોકલી આપવામા આવ્યા છે. આ તમામ 24 લોકો નેપાળમાં પણ સાથે જ રહેતા અને આ તમામ 24 લોકો રાજસ્થાનના વતની છે.

નેપાળ પોલીસે ભીખ માંગતા 24 ભારતીયોને પકડ્યા છે. પોલીસનો દાવો છે કે તે કુદરતી આફતનો શિકાર હોવાનો દાવો કરીને લોકો પાસે ભીખ માંગતા હતા. એ બધા લોકો સાથે રહેતા હતા. પોલીસનું એમ પણ કહેવું છે કે નેપાળમાં તહેવાર શરૂ થતાં જ ભારતમાંથી આવતા ભીખારીઓની સંખ્યામાં વધારો થાય છે.

નકલી દસ્તાવેજો ધરાવવા અને કુદરતી આફતનો ભોગ બનનાર હોવાનું કહીને નેપાળ પોલીસે 12 સગીરો સહિત ભારતમાંથી 24 ભીખારીઓની ધરપકડ કરી હતી. નેપાળ પોલીસે કહ્યું કે તેમની પુછપરછ કરીને ભારત પાછા મોકલી આપવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા તમામ 24 ભીખારી ભારતના રાજસ્થાન સાથે સંબંધ ધરાવતા હતા અને તમામ 24 લોકોને ભારત-નેપાળ બોર્ડર વિસ્તારના નેપાળ બાજુના બિર્ટામોડની શેરીઓમાં ભીખ માંગતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

નેપાળ પોલીસે કહ્યુ કે આ લોકો હાથમાં 6 મહિનાના બાળક સહિત અનેક નાના બાળકોને સાથે રાખીને જુદા જુદા બહાના બનાવીને પૈસા માટે ભીખ માંગતા હતા. પોલીસના કહેવા મુજબ આ બધા ભીખારીઓ બોગસ દસ્તાવેજોના આધારે નેપાળમાં ઘુસી આવ્યા હતા અને ભારતમાં કુદરતી આફતથી પીડિત હોવાનો દાવો કરતા હતા.

ભીખારીઓ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ ભારતમાં કુદરતી આફતનો ભોગ બન્યા છે અને આફતને કારણે તેમણે પોતાના ઘર ગુમાવી દીધા છે. પોલીસે બિરતમોદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી શોધી કાઢ્યું હતું કે તેઓ બિરતમોડ બસપાર્ક ખાતે ભાડાના રૂમમાં જૂથોમાં રહેતા હતા.

નેપાળ પોલીસના કહેવા મુજબ,તેઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પોલીસ વાહનમાં કાંકરભીટ્ટા વિસ્તારમાં મેચી પુલ પર સરહદની બીજી બાજુ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે નેપાળમાં તહેવારોની સિઝન આવતા જ નેપાળમાં સરહદ પારથી ભિખારીઓની સંખ્યા વધવા લાગે છે.

આવા ગણ્યા ગાંઠ્યા લોકોને કારણે દેશની બદનામી થાય છે, પરંતુ આવા નફફ્ટ લોકોને કોઇ ફરક પડતો હોતો નથી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.