કોંગ્રેસની સ્પીકરને ચિઠ્ઠી: જે ગતિએ રદ્દ કર્યું, એ ગતિથી આપો રાહુલનું સાંસદ પદ

સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવ્યા બાદ હવે જલદી જ તેમની લોકસભા સભ્યતા ચાલુ કરી શકાય છે. લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ શનિવારે લોકસભા સચિવાલયને કોર્ટના આદેશ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષની સભ્યતા ચાલુ કરવાની માગણી કરતી ચિઠ્ઠી સોંપી હતી. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, તે અફસોસજનક છે કે લોકસભા સચિવાલય રાહુલ ગાંધીની સભ્યતાને એ તત્પરતા સાથે ચાલુ કરી રહ્યું નથી, જે તત્પરતા સાથે તેણે સુરત કોર્ટ દ્વારા દોષી ઠેરવ્યા બાદ માર્ચમાં તેમને અયોગ્ય જાહેર કરી દીધા હતા.

લોકસભા સચિવાલયના અધિકારીઓએ પુષ્ટિ કરી કે, કોંગ્રેસે કોર્ટનો આદેશ સોંપી દીધો છે. જો કે, સ્પીકર ઓમ બિરલા રવિવારે દિલ્હીથી બહાર જવાના છે એટલે આ અનુરોધ સોમવારે કરવામાં આવશે. શુક્રવારે સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા બાદ અધીર રંજન ચૌધરીએ ઓમ બિરલા સાથે મુલાકાત કરીને તેમને રાહુલ ગાંધીની સભ્યતા ચાલુ કરવાનો આગ્રહ કર્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ અધીર રંજન ચૌધરીને કહ્યું હતું કે તેમના કાર્યાલયને સુપ્રીમ કોર્ટથી આદેશ મળ્યા બાદ તેઓ નિર્ણય લેશે.

કોંગ્રેસ ઈચ્છે છે કે, રાહુલ ગાંધી સંસદમાં ફરે અને અવિશ્વાસ પ્રસ્તાવામાં હિસ્સો લે. જેના પર 8 ઑગસ્ટે ચર્ચા થશે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, કોર્ટનો આદેશ મળ્યા બાદ હું શુક્રવારે રાત્રે સ્પીકરને ફોન કર્યો. મેં તેમને કહ્યું કે હું રાહુલ ગાંધીની સજા પર રોક લગાવનાર સુપ્રીમ કોર્ટનો આદેશ સોંપવા માગું છું અને પોતાની ચિઠ્ઠી પણ સોંપવા માગું છું. મેં તેમની પાસે મળવાનો સમય માગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મોદી સરનેમ કેસમાં મેટ્રોપોલિટન કોર્ટ તરફથી દોષી કરાર આપ્યાના નિર્ણય વિરુદ્ધ પહેલા રાહુલ ગાંધી સેશન કોર્ટ ગયા હતા, પછી હાઇ કોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ ગયા હતા. ગયા મહિને જ ગુજરાત હાઇ કોર્ટે અરજી ફગાવ્યા બાદ કોંગ્રેસ નેતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સેશન કોર્ટે દોષસિદ્ધિને પૂરી રીતે રદ્દ કરવાની અપીલ પર સુનાવણી કરી હતી. હવે વાયનાડથી સાંસદ રહેલા રાહુલ ગાંધી, મોદી સરનેમ કેસમાં સજા પર રોક લાગ્યા બાદ લોકસભામાં ફરવા તૈયાર છે. કોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી લડી શકશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.