મહારાષ્ટ્ર: બસ પલટી ખાઇ ગઇ અને 3 માસૂમ બાળકો સહિત 26 ઉંઘમાં જ ભડથું થઇ ગયા

મહારાષ્ટ્રમાં એક બસને ગંભીર અકસ્માત નડ્યો છે અને 3 માસૂમ બાળકો 26 લોકો ઉંઘમાં જ ભડથું થઇ ગયા છે.શુક્રવારે મઘરાત્રે બસમાં મુસાફરો નિંદર માણી રહ્યા હતા ત્યારે બસનું ટાયર ફાટી ગયું હતું અને પછી બસમાં આગ ફાટી નિકળી હતી, 26 મુસાફરોને બચવાનો કોઇ મોકો મળ્યો નહોતો.

મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર બસમાં આગ લાગવાને કારણે 26 મુસાફરોના મોત થયા છે. આ ઘટના બુલઢાણા જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે બની હતી. બસમાં કુલ 33 લોકો મુસાફરી કરી રહ્યા હતા, 7 ઇજાગ્રસ્ત થયા છે. બસનો ડ્રાઇવર પણ ઘાયલ થયો છે. ડ્રાઇવરનું કહેવું છે કે બસનું ટાયર અચાનક ફાટી જવાને કારણે બસ પલટીને ડિવાઇડર સાથે ભટકાઇ ગઇ હતી અને પછી આગ લાગી ગઇ હતી.

મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લા સિંદખેડ રાજા શહેરની પાસે આ દર્દનાક દુર્ઘટનામાં બસમાં સવાર 26 લોકો જીવતા ભૂંજાઇ ગયા છે. સિટીલિંક ટ્રાવેલ્સની લક્ઝરી બસ સમૃદ્ધિ એક્સપ્રેસ વે પરથી નાગપુરથી મુંબઇ જઇ રહી હતી ત્યારે બસને અકસ્માત નડ્યો હતો અને બસ આગના લપકામાં આવી ગઇ હતી. હજુ તો મુસાફરો કઇ સમજે એ પહેલાં તો આગની લપેટમાં 3 માસૂમ બાળકો સહિત 26 લોકો બળીને ભડથું થઇ ગયા હતા.

બુલઢાનાના SP સુનીલ કડાસેને કહ્યું કે, બસનું ટાયર ફાટી ગયું હતું અને બસ થાંભલા અને ડિવાઇડર સાથે ભટકાઇ ગઇ હતી અને પછી આગ લાગી ગઇ હતી. બસમાં 33 લોકો મુસાફરી કરતા હતા, જેમાંથી 26ના મોત થયા છે અને 7ને ગંભીર ઇજા થઇ છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે, નાગપુરથી મુંબઇ જઇ રહેલી લક્ઝરી બસનો પિંપલખુંટા ગામ પાસે શુક્રવારે રાત્રે 1-30 વાગ્યે અકસ્માત નડ્યો હતો. મોતને ભેટનારા નાગપુર, વર્ધા અને યવતમાલના રહેવાસી હતા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઘટનાની તપાસનો આદેશ આપી દીધો છે અને  CM શિંદે અને ડેપ્યુટી CM ફડણવીસ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સરકારી ખર્ચે સારવાર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

બસની બારી તોડીને 5 મુસાફરો નિકળી શક્યા હતા, પરંતુ તેમને ગંભીર ઇજા પહોંચી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.