મંદિરમાં 28 લાખનું છત્તર-મુગટની ચોરી, મૂર્તિ સિવાય બધું લઇ ગયા

જસનાથ સંપ્રદાયના બિકાનેરના સૌથી મોટા જસનાથજી મહારાજ મંદિરમાં ચોરી થઈ છે. ચોરોએ લગભગ 40 કિલો ચાંદી (28 લાખ)ની કિંમતની વિશાળ છત્તર અને મુગટની ચોરી કરી હતી. આ સાથે 100 ગ્રામ (6 લાખ) સોનાના ઘરેણા અને 2.5 લાખ રૂપિયા રોકડા પણ લઈ ગયા હતા. તેમજ ઘણી વસ્તુઓની પણ ચોરી થઈ છે. ઘટના બાદ ચોરો CCTV કેમેરાનું રેકોર્ડિંગ પણ લઈ ગયા હતા. SP તેજસ્વની ગૌતમ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્તારમાં નાકાબંધી કરીને દરેક વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

શ્રીડુંગરગઢના કટારિયાસરમાં જસનાથ સિદ્ધ સંપ્રદાયનો સૌથી વધુ પ્રભાવ છે. મંદિરમાં સોમવારે રાત્રે ચોરીની ઘટના બની હતી. મંગળવારે સવારે પૂજારી અને ભક્તો પહોંચ્યા ત્યારે ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. સંપ્રદાયના લોકોને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા ગ્રામજનોએ વાહનોના વ્હીલના નિશાન જોઈને ચોરોની શોધખોળ શરૂ કરી હતી. ચોરો કઈ દિશામાં ગયા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ જામસર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

મંદિરનો દરવાજો તોડીને ચોરો પ્રવેશ્યા હતા. તૂટેલા ગેટમાંથી પોલીસે ફિંગર પ્રિન્ટ લીધા હતા. અહીં CCTV કેમેરાનું રેકોર્ડિંગ મશીન પણ લગાવવામાં આવ્યું હતું, જેને ચોરો પોતાની સાથે લઈ ગયા હતા. હાલ મંદિર બંધ છે. ચોરોએ મંદિરમાં માત્ર મૂર્તિઓ જ છોડી દીધી છે. બાકીનું બધું ચોરી ગયા હતા. પોલીસ ગામમાં લાગેલા અન્ય કેમેરા, CCTV કેમેરાના ફૂટેજ એકત્ર કરી રહી છે. તે ચોરો સાથે જોડાયેલી તમામ માહિતી એકઠી કરી રહી છે. સિદ્ધ સમાજના કટારિયાસર ધામમાં બનેલી આ ઘટના બાદ સિદ્ધ સમાજના લોકોમાં રોષ ફેલાયો છે.

ચોરીનું રહસ્ય ખોલવા પોલીસની ડોગ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મંદિરની અંદર અને બહાર જઈને ચોરીનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે. FSLની ટીમ પણ મંદિરમાં ફિંગર પ્રિન્ટ લેવા આવી રહી છે.

મંદિરમાં ચોરીની જાણ થતાં જસનાથ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. મંદિર બંધ હોવાના કારણે લોકોને નિરાશ થઈને પરત ફરવું પડે છે. ત્યારે મંદિરમાં ચોરીની ઘટનાને લઈને ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આરોપ છે કે ચોર આસાનીથી તમામ સામાન લઈને ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસને કોઈ સુરાગ પણ ન મળ્યો. પોલીસ પેટ્રોલીંગના અભાવે આવી સ્થિતિ સર્જાઈ રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે મંદિરમાં સોમવારે રાત્રે આ ચોરી થઈ હતી. મંગળવારે સવારે પૂજારીઓ અને શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. આ અંગે સંપ્રદાયના લોકોને જાણ કરવામાં આવી હતી. જામસર પોલીસે ગુનો નોંધ્યો છે. ચોરોનું લોકેશન ટ્રેક કરવામાં આવી રહ્યું છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.