મંદિરમાં 28 લાખનું છત્તર-મુગટની ચોરી, મૂર્તિ સિવાય બધું લઇ ગયા

PC: hindi.news18.com

જસનાથ સંપ્રદાયના બિકાનેરના સૌથી મોટા જસનાથજી મહારાજ મંદિરમાં ચોરી થઈ છે. ચોરોએ લગભગ 40 કિલો ચાંદી (28 લાખ)ની કિંમતની વિશાળ છત્તર અને મુગટની ચોરી કરી હતી. આ સાથે 100 ગ્રામ (6 લાખ) સોનાના ઘરેણા અને 2.5 લાખ રૂપિયા રોકડા પણ લઈ ગયા હતા. તેમજ ઘણી વસ્તુઓની પણ ચોરી થઈ છે. ઘટના બાદ ચોરો CCTV કેમેરાનું રેકોર્ડિંગ પણ લઈ ગયા હતા. SP તેજસ્વની ગૌતમ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્તારમાં નાકાબંધી કરીને દરેક વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

શ્રીડુંગરગઢના કટારિયાસરમાં જસનાથ સિદ્ધ સંપ્રદાયનો સૌથી વધુ પ્રભાવ છે. મંદિરમાં સોમવારે રાત્રે ચોરીની ઘટના બની હતી. મંગળવારે સવારે પૂજારી અને ભક્તો પહોંચ્યા ત્યારે ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. સંપ્રદાયના લોકોને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા ગ્રામજનોએ વાહનોના વ્હીલના નિશાન જોઈને ચોરોની શોધખોળ શરૂ કરી હતી. ચોરો કઈ દિશામાં ગયા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ જામસર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

મંદિરનો દરવાજો તોડીને ચોરો પ્રવેશ્યા હતા. તૂટેલા ગેટમાંથી પોલીસે ફિંગર પ્રિન્ટ લીધા હતા. અહીં CCTV કેમેરાનું રેકોર્ડિંગ મશીન પણ લગાવવામાં આવ્યું હતું, જેને ચોરો પોતાની સાથે લઈ ગયા હતા. હાલ મંદિર બંધ છે. ચોરોએ મંદિરમાં માત્ર મૂર્તિઓ જ છોડી દીધી છે. બાકીનું બધું ચોરી ગયા હતા. પોલીસ ગામમાં લાગેલા અન્ય કેમેરા, CCTV કેમેરાના ફૂટેજ એકત્ર કરી રહી છે. તે ચોરો સાથે જોડાયેલી તમામ માહિતી એકઠી કરી રહી છે. સિદ્ધ સમાજના કટારિયાસર ધામમાં બનેલી આ ઘટના બાદ સિદ્ધ સમાજના લોકોમાં રોષ ફેલાયો છે.

ચોરીનું રહસ્ય ખોલવા પોલીસની ડોગ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મંદિરની અંદર અને બહાર જઈને ચોરીનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે. FSLની ટીમ પણ મંદિરમાં ફિંગર પ્રિન્ટ લેવા આવી રહી છે.

મંદિરમાં ચોરીની જાણ થતાં જસનાથ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. મંદિર બંધ હોવાના કારણે લોકોને નિરાશ થઈને પરત ફરવું પડે છે. ત્યારે મંદિરમાં ચોરીની ઘટનાને લઈને ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આરોપ છે કે ચોર આસાનીથી તમામ સામાન લઈને ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસને કોઈ સુરાગ પણ ન મળ્યો. પોલીસ પેટ્રોલીંગના અભાવે આવી સ્થિતિ સર્જાઈ રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે મંદિરમાં સોમવારે રાત્રે આ ચોરી થઈ હતી. મંગળવારે સવારે પૂજારીઓ અને શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. આ અંગે સંપ્રદાયના લોકોને જાણ કરવામાં આવી હતી. જામસર પોલીસે ગુનો નોંધ્યો છે. ચોરોનું લોકેશન ટ્રેક કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp