ઓડિશા રેલ અકસ્માતમાં મૃતકોની સંખ્યા પહોંચી 280 પર, રાજ્યમાં એક દિવસનો શોક જાહેર

ઓરિસ્સાના બાલાસોરમાં શુક્રવારે સાંજે લગભગ 6:51 વાગ્યે મોટો ટ્રેન અકસ્માત થઈ ગયો. અહીં બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ (12841) અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ. ટક્કર થતા જ બંને ટ્રેન પલટી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધી 280 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 900 લોકો ઇજાગ્રસ્ત થઈ છે. રેસ્ક્યૂ ઓપરેશન માટે NDRF સિવાય સ્થાનિક પોલીસ, રેલવે પોલીસની ટીમો સિવાય જિલ્લા પ્રશાસનની ટીમો પણ ઘટનાસ્થળ પર છે.

ઓરિસ્સાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે, લગભગ 50 એમ્બ્યુલન્સને લોકોને લઈ જવા માટે લગાવવામાં આવી છે, પરંતુ ઇજાગ્રસ્તોની સંખ્યા ઘણી બધી છે, એટલે ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ લઈ જવા માટે મોટી સંખ્યામાં બસો લગાવવામાં આવી છે. ઓરિસ્સાના બાલાસોર, બહનાગા બજારમાં શુક્રવારે થયેલા રેલ અકસ્માતને લઈને મુખ્યમંત્રી નવીન પટનાયકે મોટી જાહેરાત કરી છે. જાહેરાત મુજબ 3 જૂન એટલે કે આજે રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે એટલે આખા રાજ્યમાં 3 જૂનના રોજ કોઈ ઉત્સવ મનાવવામાં નહીં આવે. ઓરિસ્સાના સૂચના અને જનસંપર્ક વિભાગે તેની જાણકારી આપી છે.

ઓરિસ્સાના ફાયર સર્વિસિસ ઓરિસ્સાના DG સુધાંશુ સારંગીએ જણાવ્યું કે, ઘણા શબ જપ્ત કરવામાં આવ્યા છે અને મૃતકોની સંખ્યા વધી શકે છે. ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા આ ભીષણ રેલ અકસ્માતના કારણે ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે. આ ટ્રેનો પોતાના ડીપાર્ચર સ્ટેશનથી યાત્રાની શરૂઆત કરી ચૂકી છે. હવે ગંતવ્ય સુધી જવા અગાઉ આ ટ્રેનોના માર્ગમાં બદલાવ કરવામાં આવ્યા છે.  JDSના રાષ્ટ્રીય અધ્યક્ષ એચડી દેવગૌડાએ ટ્વીટ કરી કે, ઓરિસ્સાના બાલાસોર પાસે ટ્રેન દુર્ઘટના બાબતે જાણીને ખૂબ દુઃખી થયો.

મારી પ્રાર્થનાઓ એ પરિવારો સાથે છે જેમણે જીવ ગુમાવ્યા છે. મારી કામના છે કે, એ ઇજાગ્રસ્તોની સારી દેખરેખ કરવામાં આવે અને આશા છે કે એ બધા સુધી મદદ પહોંચશે, જે અત્યારે પણ ફસાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રેલ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા વળતરની જાહેરાત કરી છે. PMO ઈન્ડિયાએ ટ્વીટ કરી કે, વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષ હેઠળ જીવ ગુમાવનારા પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. એ સિવાય ઇજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.