શું ગેહલોતના ચહેરા પર ચૂંટણી નહિ લડે કોંગ્રેસ? મીટિંગમાં પાયલટની 3 વાતો...

મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વરિષ્ઠ નેતા સચિન પાયલટ વચ્ચે ખેચતાણને જોતા કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં આગામી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને 4 મહત્ત્વની બેઠક કરી છે. આ દરમિયાન ઘણા મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા. સૌથી મહત્ત્વનો નિર્ણય રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કોઈ મુખ્યમંત્રી ચહેરા વિના ચૂંટણી મેદાનમાં ઉતરવાનું છે. મતલબ સ્પષ્ટ છે કે અત્યારે એ નક્કી નથી કે ચૂંટણી જીતવાની સ્થિતિમાં અશોક ગેહલોતને ફરી એક વખત મુખ્યમંત્રી બનાવવામાં આવશે કે નહીં.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે આગામી ચૂંટણીના સંબંધમાં ઘણી મહત્ત્વની જાણકારીઓ આપી. રાજસ્થાનને લઈને દિલ્હીમાં થયેલી બેઠક દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત પ્રદેશ કમિટીના 29 વરિષ્ઠ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન બધાએ એક સ્વરમાં મળીને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી લડવાની વાત કહી હતી. ઉમેદવારની ચૂંટણી જીતવાની આશાના આધાર પર જ ચૂંટણી માટે તેમને પસંદ કરવામાં આવશે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત થઈ જશે.

શું હતી સચિન પાયલટની માગ?

આ મીટિંગ દરમિયાન સચિન પાયલટના મુદ્દાઓને પણ સાંભળવામાં આવ્યા. સચિન પાયલટની મુખ્યતઃ 3 માગણી હતી. પહેલી માગણી-વસુંધરા રાજેના ભ્રષ્ટાચારની તપાસ પર સરકાર કમિટી બનાવે. બીજી માગણી-પેપર લીક કેસમાં આજીવન કેદની સજાના પ્રવધાનની માગણી પણ માનવામાં આવી છે. ત્રીજી માગણી-રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC)માં ગરબડી સારી કરવા સંબંધિત પગલાં ઉઠાવવામાં આવે. તેને પણ માની લેવામાં આવી છે.

મીટિંગમાં 4 મુદ્દાઓ પર બની સહમતી:

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોઈ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં નહીં આવે.

વિધાનસભાની ચૂંટણી લડનારા બધા ઉમેદવારોનું સિલેક્શન સપ્ટેમ્બર સુધીમાં કરી લેવામાં આવશે.

હવે બીજા ગ્રુપ વિરુદ્ધ કોઈ પ્રકારની નિવેદનબાજી કરવામાં નહીં આવે. મળીને સરકાર અને પાર્ટી તરફથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવશે.

રાજસ્થાન લોક સેવા આયોગના સભ્યોની નિમણૂક માટે સ્પષ્ટ નિયમ બનાવવામાં આવશે. પેપરલીકને રોકવા માટે વિધાનસભામાં કાયદો આવશે.

મીટિંગ બાદ સચિન પાયલટે કહ્યું કે, ‘લગભગ 4 કલાક સુધી અમારી ચર્ચા ચાલી. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની રણનીતિ બનાવવામાં આવી. 25 વર્ષોમાં જે રાજસ્થાનમાં એક વખત ભાજપ અને એક વખત કોંગ્રેસનું પ્રકરણ ચાલી રહ્યું છે તેને સમાપ્ત કરીને ફરી કોંગ્રેસની સરકાર બને.. તેના પર ખૂબ સાર્થક અને વ્યાપક ચર્ચા થઈ. બધા મુદ્દાઓ પર અમે લોકોએ એ ભરોસો વ્યક્ત કર્યો કે અમે આગામી મહિનાઓમાં વધુ મહેનત કરીને પોતાની સરકાર રીપિટ કરી શકીએ છીએ.’

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.