પહેલા મેરેજ બાદ અંજલી, બીજા પછી અફસા, ત્રીજા મેરેજ પછી ભવ્યા અને પછી હત્યા...

ગાઝિયાબાદના ભવ્યા શર્મા હત્યા કેસમાં પોલીસ તપાસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભવ્યાએ ત્રણ લગ્ન કર્યા હતા. પરંતુ, ત્રીજા પતિ વિનોદ શર્મા સાથે રહેતી હોવા છતા પણ તે તેના બીજા પતિ સાથે વાત કરતી હતી. તા વાતથી ગુસ્સે થયેલા વિનોદ શર્માએ ચાકૂથી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી વિનોદે જ ભવ્યાના માતા-પિતાને ફોન કરીને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસને બોલાવી હતી. પોલીસે મૃતદેહને કબજમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે યુવતીના પેટમાં ચાકુ મારવામાં આવ્યું હતું, જેના કારણે તેનું મોત થયું હતું. આરોપી યુવતીના મોત મામલે અલગ અલગ નિવેદન આપી રહ્યો હતો. જેના પર પોલીસ અધિકારીઓને શંકા ગઈ. વિનોદે સિદ્ધાર્થ વિહારના વૃંદાવન એન્ક્લેવમાં 25 ડિસેમ્બરની સાંજે આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે ભવ્યા તેની સાથે છેતરપિંડી કરી રહી હતી.

આરોપી વિનોદે જણાવ્યું કે ભવ્યાના બીજા પતિ અનીશે ગાઝિયાબાદ છોડીને ચાલ્યા જવાની ધમકી આપી હતી, તેને કહ્યું હતું કે જો તે આવું નહીં કરે તો તેણે પોતાનો જીવ ગુમાવવો પડશે. ત્યારથી તેણે ભવ્યા સામે નારાજગી રાખવાનું શરૂ કર્યું હતું. ભવ્યા પોતે નોકરી કરતી હતી અને તેની કમાણીથી ઘર ચાલતુ હતું. વિનોદ કોઈ કામ-ધંધો કરતો ન હતો. ભવ્યાના ભાઈ ટીપુએ વિનોદ વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધાવ્યો છે.

વિનોદના કહેવા મુજબ હત્યાના દિવસે બંનેએ દારૂ પીધો હતો. આ દરમિયાન ભવ્યાને તેણે વધુ દારૂ પીવડાવ્યો હતો. પછી તક જોઈને તેણે ભવ્યાના પેટમાં ચાકૂ મારી દીધું હતુ. ભવ્યાનું થોડાં વર્ષ પહેલાં પેટનું ઓપરેશન થયું હતું, જેના કારણે તેના પેટ પર નિશાન હતા. વિનોદે ઈરાદાપૂર્વક એ જ કટના નિશાન પાસે ચાકૂના ઘા ઝીંકી દીધા, જેથી લોકોને કપાયાની ખબર ન પડે.

ભવ્યાએ ત્રણ લગ્ન કર્યા હતા. તેમાં બે યુવકો હિંદુ હતા. ત્રણેય લવ મેરેજ હતા. ભવ્યા પહેલા મુસ્લિમ હતી. તે સીતામઢીની રહેવાસી હતી, પરંતુ બાદમાં તેનો પરિવાર ગાઝિયાબાદના સિદ્ધાર્થ વિહારમાં શિફ્ટ થઈ ગયો. લગ્ન પહેલા તેનું નામ બેબી હતું. પરંતુ, પહેલા લગ્ન બાદ તેણે પોતાનું નામ બદલીને અંજલિ કરી દીધું. જ્યારે બીજા લગ્ન પછી તે અફસાના અને ત્રીજા લગ્ન પછી ભવ્યા બની ગઈ.

પ્રથમ લગ્ન 2004માં દિલ્હીના રહેવાસી યોગેન્દ્ર કુમાર સાથે થયા હતા. બંનેને એક પુત્ર પણ છે. ત્યારબાદ અનીશ સાથે 2017માં લગ્ન કર્યા. ત્યારબાદ તે ગુરુગ્રામના વિનોદ શર્માને મળી અને બંનેએ 2019માં લગ્ન કરી લીધા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.