અમરનાથ યાત્રા દરમિયાન નથી રોકાઈ રહ્યો મોતનો સિલસિલો, જાણો કેમ થાય છે આવું

હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સમયે આ યાત્રા ચાલી રહી છે અને રોજ હજારો ભક્ત બાબા બર્ફાનીના દર્શન અને પૂજન કરી રહ્યા છે. આ યાત્રા ખૂબ જ દુર્ગમ માર્ગો અને મુશ્કેલીઓથી ભરેલી હોય છે. ઘણા શ્રધાળુંઓની આ દરમિયાન તબિયત બગડી પણ જાય છે. તો કેટલાક શ્રદ્ધાળુઓના તો મોત પણ થઈ જાય છે. આ વર્ષે આ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી અને પ્રશાસને આ યાત્રાને સુગમ અને સરળ બનાવવા માટે તમામ પ્રયાસ કર્યા છે. અત્યાર સુધી 2 લાખ 30 હજાર કરતા વધુ તીર્થયાત્રી મંદિરના દર્શન કરી ચૂક્યા છે.

યાત્રા દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન થાય, તેનો ભરપૂર ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે, પરંતુ ત્યાંથી આવી રહેલા મોતના સમાચારો બધાની ચિંતા વધારી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રવિવારે સવારે 3 લોકોના મોત થઈ ગયા હતા, જેથી મૃતકોની સંખ્યા વધીને 30 પહોંચી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મૃતક તીર્થયાત્રી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના રહેવાસી હતા. તેમનું મોત રવિવારની સવાર બાદ થયા. અધિકારીઓએ જણાવ્યું કે, 2 તીર્થયાત્રીઓના મોત હાર્ટ એટેક આવવાથી થયા, જ્યારે ત્રીજાનું મોતનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેમણે જણાવ્યું કે, યાત્રાના પહલગામ માર્ગ પર 2 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે બાલતાલ માર્ગ પર એક વ્યક્તિનું મોત થઈ ગયું. આ ત્રણેય લોકોના મોત બાદ આ વર્ષે અત્યાર સુધી યાત્રા દરમિયાન મૃત્યુ પામનારા યાત્રીની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. અધિકારીઓ મુજબ, મૃતકોમાં યાત્રા ડ્યુટી પર તૈનાત ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP)ના અધિકારી, એક સાધુ અને એક સેવાદાર સામેલ છે. ઊંચાઈ પર ઓછી ઑક્સિજન હોવાના કારણે હૃદય ગતિ રોકાવી, અમરનાથ તીર્થયાત્રીઓ અને ત્યાં તૈનાત સુરક્ષાબળોના મોતના સૌથી સામાન્ય કારણોમાંથી એક છે.

અત્યાર સુધી અમરનાથ યાત્રામાં 30 લોકોના મોત થયા છે. તેમાંથી ગુજરાતના 4 લોકોનો સમાવેશ થાય છે. જે ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા છે તેમની ઓળખ, ગણેશભાઈ કદમ ( રહે. ફતેહપુરા, વડોદરા) , ઊર્મિલાબેન ગિરિશભાઇ મોદી (રહે. કામરેજ, સુરત) , શિલ્પાબેન નરેશભાઈ ડાંખરા (રહે. સિદસર, ભાવનગર), રાજેન્દ્રભાઇ ભાટીયા (રહે વેમાલી, વડોદરા)ના રૂપમાં થઈ છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.