ગટર સફાઈ સમયે મોત થાય તો આટલા રૂપિયા વળતર ચૂકવવુ પડશે,વાંચો સુપ્રીમ કોર્ટનો આદેશ

ગટરની સફાઈ દરમિયાન થતાં મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. આજે પણ ગટરની સફાઈ દરમિયાન મોતના કિસ્સાઓ નોંધાતા રહે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, હવે ગટર સાફ કરતી વખતે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે અથવા અપંગ થઈ જાય છે તો તેને વધારે વળતર ચૂકવવું પડશે.

દેશમાં ગટરની સફાઈ દરમિયાન મોતની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે શુક્રવારે કહ્યું કે, સરકારી અધિકારીઓએ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 30 લાખ રૂપિયાનું વળતર આપવું પડશે. જસ્ટિસ S. જસ્ટિસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચે જણાવ્યું હતું કે, ગટર સાફ કરતી વખતે કાયમી અપંગતાનો ભોગ બનેલા લોકોને લઘુત્તમ વળતર તરીકે રૂ. 20 લાખ ચૂકવવામાં આવશે. બેન્ચે કહ્યું કે, 'કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે હાથથી મેલું સાફ કરવાની કે ઉંચકવાની પ્રથા સંપૂર્ણપણે નાબૂદ થાય.'

ચુકાદો સંભળાવતા જસ્ટિસ ભટે કહ્યું કે, જો સફાઈ કામદાર કોઈ બીજી વિકલાંગતાથી પીડિત થયો હોય, તો અધિકારીઓએ 10 લાખ રૂપિયા સુધી ચૂકવવા પડશે. કોર્ટે અનેક આદેશો બહાર પડ્યા હતા, જે વાંચવામાં આવ્યા ન હતા. ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે, સરકારી એજન્સીઓએ એ સુનિશ્ચિત કરવા માટે સંકલન કરવું જોઈએ કે, આવી ઘટનાઓ ન બને અને ઉચ્ચ અદાલતોને ગટર સફાઈના સંદર્ભે થયેલા મૃત્યુ સંબંધિત કેસોની દેખરેખ કરવાથી અટકાવવામાં ન આવે. આ નિર્ણય જાહેર હિતની અરજી પર આવ્યો છે.

જુલાઈ 2022માં લોકસભામાં રજૂ કરવામાં આવેલા સરકારી ડેટા અનુસાર, પાંચ વર્ષમાં ભારતમાં ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે ઓછામાં ઓછા 347 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં 40 ટકા મૃત્યુ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને દિલ્હીમાં થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આવા જ એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે પણ દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. ગયા વર્ષે ગટરની અંદર મૃત્યુ પામેલા બે લોકોના પરિવારો પ્રત્યે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)ના 'સંપૂર્ણપણે અસંવેદનશીલ વલણ' પર ખેદ વ્યક્ત કરતા, દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, 'મારુ માથું શરમથી ઝુકી ગયું છે.' હાઈકોર્ટ તેના 6 ઓક્ટોબર, 2022ના આદેશનું પાલન ન કરવા બદલ ગુસ્સે થઈ હતી. તે આદેશમાં, DDAને મૃતકોના પરિવારોને વળતર તરીકે 10-10 લાખ રૂપિયા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.