પરિવારના 5 લોકો બે માસની બાળકી સહિત જીવતા સળગ્યા

કુશીનગર જિલ્લાના રામકોલા પોલીસમથક ક્ષેત્રના માઘી મઠિયા ગામમાં બુધવારે બપોરે લગભગ બે વાગે ઘરમાં આગ લાગવાથી દિવ્યાંગ માતા પોતાની ચાર માસુમ દિકરીઓ સહિત જીવતા સળગ્યા. મરનારાઓમાં સૌથી નાની દિકરી ફક્ત બે મહિનાની હતી. તેનો મૃતદેહ માતાના ખોળામાં મળ્યો. દિવ્યાંગ હોવાના કારણે માતા પોતાને પણ ન બચાવી શકી અને પોતાની માસૂમ દિકરીઓને પણ ન બચાવી શકી. આગ ઘરની સામેની એક ઝૂંપડીમાંથી ઉઠી હતી. આગ કઇ રીતે લાગી તેની જાણકારી હજુ સુધી નથી મળી શકી.

જાણકારી અનુસાર, માઘી મઠિયા ગામના દિવ્યાંગ શેર મોહમ્મદ રીક્ષા ચલાવીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા. બુધવારના રોજ બપોરે તેમના પરિવારના દરેક લોકો સુતા હતા. ત્યારે તેમના ઘરની સામે નબીહસનની ઝૂપડીમાં કોઇ કારણસર આગ લાગી ગઇ. તડકો અને હવા ચાલવાના કારણે શેર મોહમ્મદનાં ઘરમાં પણ આગ લાગી ગઇ.

ઘરની સામે સ્થિત ઝૂંપડીમાં આગ લાગ્યા પછી શેર મોહમ્મદની દિકરીઓ અને પત્ની અને દાદા દાદી પાકા મકાનમાં છુપાવા માટે ચાલ્યા ગયા. એક રૂમમાં શેર મોહમ્મદની પત્ની અને ચારે દિકરીઓ હતી, તો બીજા રૂમમાં કુલસુમ છુપાઇ હતી. પણ પાકા મકાનમાં પણ આગ લાગી ગઇ. જે રૂમમાં દિકરીઓ છુપાઇ હતી, તેમાં સામાન વધારે હોવાથી રૂમમાં આગ ફેલાઇ ગઇ. જેથી પાંચે જણ એક જ રૂમમાં જીવતા સળગી ગયા. બીજા રૂમમાં હાજર શેર મોહમ્મદ અને દાદા દાદી અને એક દિકરી ગંભીર રીતે દાઝી ગયા છે. તેમને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ઘટનાના સમયે શેર મોહમ્મદ રીક્ષા લઇને બહાર ગયા હતા. આગ લાગવાની જાણકારી મળતા જ તેઓ ઘરે પહોંચ્યા. ઘટનામાં શેર મોહમ્મદની 32 વર્ષની પત્ની ફાતિમા, છ વર્ષની દિકરી રોકઇ, ત્રણ વર્ષની અમીના, દોઢ વર્ષની આયશા અને બે મહિનાની ખતીજા જીવતા સળગી ગયા. શેર મોહમ્મદના દાદા 90 વર્ષના સફીદ, 85 વર્ષીય દાદી મોતીરાની અને છ વર્ષની દિકરી કુલસુમ ગંભીર રૂપે સળગી ગયા છે.

આગ લાગ્યા બાદ લગભગ ચાર કલાક સુધી ગામમાં અફરાતફરી મચી ગઇ. ફાયર બ્રિગેડને સૂચના મળ્યા છતાં તેઓ લગભગ બે કલાક મોડા પહોંચ્યા. ડીએમ રમેશ રંજન, એસપી ધવલ જયસવાલ, એડીએમ દેવીદયાળ વર્મા, એસડીએમ સદર મહાત્મા સિંહ, સીએમઓ ડો. સુરેશ પટારિયા સહિત કેટલાક અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા.

એસપી ધવલ જયસવાલે કહ્યું કે, પોલીસ પ્રશાસન તરફથી મોકા પર પહોંચીને રાહત તથા બચાવ કાર્ય કરવામાં આવ્યું મરનારી મહિલા દિવ્યાંગ હતી. દરેક આગમાં ઘેરાઇ ગયા હતા. તેથી મહિલા પોતાને પણ ન બચાવી શકી અને દિકરીઓને પણ ન બચાવી શકી. મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હજુ સુધી આગ લાગ્યાનું કારણ અજ્ઞાત છે. પીડિત પરિવારને રાહત કોષ પાસેથી મદદ મળશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.