50 વર્ષીય વ્યક્તિએ પોતાની પત્નીને તેની જ ઓફિસમાં સળગાવી દીધી

કેરળના કોલલ્મમાં એક વ્યક્તિએ પોતાની જ પત્નીને તેની ઓફિસ પર જીવંત સળગાવી દીધી. પત્નીની હત્યા કર્યા પછી થોડી વાર બાદ તે વ્યક્તિએ પોતે પણ આત્મહત્યા કરી નાખી. પત્નીની ક્રૂરતાથી હત્યા કર્યા પછી આ વ્યક્તિએ પોતાનું ગળુ કાપી નાખ્યું અને કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી. કોલ્લમના નવાઇકુલમમાં બનેલી આ ઘટનાએ સ્થાનીય લોકોને ચિંતામાં મૂકી દીધા છે.

મૃતક મહિલાનું નામ નાદિરા કહેવામાં આવી રહ્યું છે. તો તેની હત્યા કરી પોતે આત્મહત્યા કરનારા વ્યક્તિનું નામ રહીમ છે. 50 વર્ષીય રહીમ અને 36 વર્ષીય નાદિરા કોલ્લમના નવાઈકુલમમાં પોતાના બે બાળકોની સાથે ભાડેના મકાનમાં રહેતા હતા. રહીમ રીક્ષા ચલાવતો હતો અને નાદિરા પરિપલ્લીના અક્ષય સેન્ટરમાં કામ કરતી હતી. ઈન્ડિયા ટુડેથી જોડાયેલ શિબીની રિપોર્ટ અનુસાર, ઘટનાના 3 દિવસ પહેલા જ રહીમ જેલમાંથી બહાર આવ્યો હતો. રહીમ વિશે જાણ થઇ કે તે મોટેભાગે તેની પત્ની સાથે મારપીટ કરતો હતો. આ કારણે જ રહીમ પર ઘણાં કેસ દાખલ છે.

હત્યાનું કારણ શું

નાદિરા સાથે કામ કરનારા લોકોનું કહેવું છે કે, રહીમને ઘણાં દિવસોથી શક હતો કે નાદિરાના કોઇ અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે. તેમનો આરોપ છે કે આ કારણે જ તે નાદિરાને ગંભીર રીતે મારતો હતો. ઘટનાના દિવસે નાદિરાના ઓફિસ પહોંચ્યા પછી રહીમ પણ સવારે લગભગ 9  વાગ્યે હેલમેટ પહેરીને પહોંચ્યો હતો. ઓફિસની અંદર જ રહીમે નાદિરા પર કેરોસિન નાખ્યું અને તેને આગમાં ચાંપી દીધી. ઘટનાને અંજામ આપ્યા પછી રહીમ ત્યાંના કર્મચારીઓને ચપ્પૂ દેખાડી ભાગી ગયો અને નજીકના કૂવાની પાસે પહોંચ્યો. જ્યાં રહીમે પોતે પોતાનું ગળુ કાપી નાખ્યું અને કૂવામાં કૂદી ગયો.

કોલ્લમ સિટી પોલીસ કમિશ્નર મેરીન જોશેફે કહ્યું કે, રહીમ નાદિરાને રોજ મારતો હતો. રીક્ષા ચલાવનાર રહીમ થોડા દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ રહીમે નાદિરાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. ઘટના પછી, સ્થાનીય પોલીસે રહીમનું શવ કૂવામાંથી કાઢ્યું. હાલમાં રહીમ અને નાદિરાના શવને પરિપલ્લી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.