ઉભેલા વાહનને ટક્કર મારવાના કિસ્સા 22 ટકા વધ્યા, આ રાજ્યમાં સૌથી વધારે અકસ્માત

માર્ગ અને પરિવહન મંત્રાલયે ભારતમાં થતા અકસમાતો-2022 પર વાર્ષિક રિપોર્ટ રજૂ કરી છે. આ રિપોર્ટ અનુસાર, 2022માં કુલ 4,61,312 રોડ અકસ્માત થયા હતા. જેમાં 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યો. જ્યારે 4,43,366 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ પ્રમાણે, દર એક કલાકે 53 રોડ અકસ્માત થયા અને દર એક કલાકમાં 19 લોકોના મોત થયા. જેમાં સીટ બેલ્ટ અને હેલમેટનો ઉપયોગ ન કરનારાઓની સંખ્યા સૌથી વધારે રહી.

ઊભા રહેલા વાહનને ટક્કરના મામલાઓમાં સૌથી વધારે 22 ટકા વૃદ્ધિ જોવા મળી. તો સામસામી ટક્કરના મામલામાં ભલે વૃદ્ધિ 2.1 ટકા જોવા મળી, પણ આ અકસ્માતનો બીજો સૌથી મોટો પ્રકાર છે.

સતત વધી રહી છે સંખ્યા

રોડ અકસ્માતની ગંભીરતા, પ્રતિ 100 દુર્ઘટનાઓમાં મરનારા લોકોની સંખ્યાથી માપવામાં આવે છે. પાછલા એક દશકામાં આમાં વધારો થયો છે. 2012માં આની સંખ્યા 28.2 ટકા હતી, જે 2022માં વધીને 36.5 ટકા થઇ છે. જેમાં દર વર્ષે સતત વૃદ્ધિ થઇ રહી છે.

સરકારી આંકડા અનુસાર, એક્સપ્રેસવે સહિત દેશના રોડ નેટવર્કનો વિસ્તાર થયો છે અને ગાડીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને લીધે રોડ અકસ્માતને લીધે મૃત્યુ દરમાં પણ વધારો જોવા મળ્યો છે. આંકડા અનુસાર, કારમાં બેઠેલા એ 16715 લોકોના મોત થયા છે, જેમણે સીટ બેલ્ટ નહોતા પહેર્યા. જેમાં 8300 લોકો ડ્રાઈવ કરી રહ્યા હતા, જ્યારે 8331 લોકો કારમાં સવાર હતા.

આ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ગયા વર્ષે દર કલાકે લગભગ 53 અકસ્માત થયા અને 19 લોકોના મોત થયા. દેશભરમાં કુલ 461312 રોડ અકસ્માત થયા. જેમાં 168491 લોકોએ જીવ ગુમાવ્યો. 2022માં રોડ અકસ્માતોની સંખ્યામાં 11.9 ટકાની વૃદ્ધિ થઇ અને મોતોમાં 9.4 ટકાની વૃદ્ધિ થઇ.

જીવલેણ હાઈવે

દેશનો રોડ નેટવર્ક 2019માં 58.98 લાખ કિમીનો હતો. જે 2022માં વધીને 6332 લાખ કિમી થયો. નેશનલ અને સ્ટેટ હાઈવેની હિસ્સેદારી કુલ રોડ નેટવર્કમાં માત્ર 4.9 ટકા છે. રોડ અકસ્માતોના કારણોમાં હાઈસ્પીડથી 72.3 ટકા અકસ્માતો થયા અને 71.2 ટકા મોતો નોંધાઈ.

આ રાજ્યમાં સૌથી વધુ અકસ્માતો

દેશમાં સૌથી વધારે અકસ્માતો તમિલનાડુમાં થયા હતા. 2022માં 64,105 રોડ અકસ્માત થયા. જે કુલ અકસ્માતના 13.9 ટકા છે. તમિલનાડુ બાદ સૌથી વધારે અકસ્માતો મધ્ય પ્રદેશમાં 54,432, ત્યાર બાદ ઉત્તર પ્રદેશમાં 22,595 થયા. આ રિપોર્ટથી એ પણ સામે આવ્યું કે મરનારાઓમાં મોટાભાગના 18-45 વર્ષના હતા. 2022માં રોડ અકસ્માતને કારણે 9528 બાળકોના પણ મોત થયા. એટલે કે વર્ષ દરમિયાન રોજ લગભગ 26 બાળકોના મોત થયા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.