સિલિન્ડર બ્લાસ્ટ થતા એક જ પરિવારના 6 લોકોના મોત

હરિયાણાના પાનીપત જિલ્લામાં આજે સવારે એક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થઇ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સવારે ભોજન બનાવતી વખત સિલિન્ડરમાં આગ લાગી ગઇ હતી. રૂમનો દરવાજો ન ખૂલ્યો, જેના કારણે એક જ પરિવારના 6 લોકોના મોત થઇ ગયા. પાનીપતમાં સિલિન્ડર બ્લાસ્ટમાં 6 લોકોના મોતથી ક્ષેત્રમાં હાહાકાર મચી ગયો છે. પાનીપત તાલુકા કેમ્પ ક્ષેત્રમાં મૃતક ભાડા પર રહેતા હતા. સિલિન્ડરમાં આગ કેમ લાગી, તેનો ખુલાસો થઇ શક્યો નથી.

ઘટનાની જાણકારી બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ અને આ મામલાની તપાસમાં લાગી ગઇ છે. મૃતકોમાં દંપત્તિ સહિત બે દીકરીઓ અને બે દીકરા સામેલ છે. દંપત્તિનું નામ અબ્દુલ (ઉંમર 42 વર્ષ) અને અફરોજ (ઉંમર 40 વર્ષ) છે. તેમની બે દીકરીઓ રેશ્મા (ઉંમર 20 વર્ષ) અને ઇશરત (ઉંમર 17 વર્ષ), બે દીકરા અબ્દુલ (ઉંમર 12 વર્ષ) અને અકફાન (ઉંમર 10 વર્ષ) છે. ઘટનાસ્થળ પર પોલીસ પ્રશાસન પહોંચી ચૂક્યું છે. અધિકારી છતના માર્ગે દરવાજા તોડીને અંડર દાખલ થયા છે. ફાયર વિભાગની ટીમે આગ પર નિયંત્રણ મેળવી લીધું છે.

શબોને શબગૃહ મોકલી આપવામાં આવ્યા છે. આસપાસના ક્ષેત્રમાં ભયનો માહોલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત જય ભગવાન શર્માના મકાનમાં થયો છે. મૃતક પરિવાર ઉત્તર દિનજપુર બંગાળનો રહેવાસી હતો. પાનીપતના પોલીસ અધિક્ષક શશાંક કુમાર સાવનનું કહેવું છે કે, મકાનોમાં આગ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી લાગી નથી, તે આગ ગેસ સિલિન્ડર ગેસ લિકેબ બાદ લાગી હતી. આ અગાઉ મધ્ય પ્રદેશના સતનામાં પણ સિલિન્ડર બ્લાસ્ટની એક હૃદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી હતી.

રવિવારે સવારે એક રેસ્ટોરાંમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ જોરદાર ધમાકો થયો હતો. તેનાથી વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાઇ ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઇ ગયો હતો. જોધપુરમાં જાન જવા અગાઉ ઘરમાં થયેલા બ્લાસ્ટમાં 50 કરતા વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં અત્યાર સુધી 24 લોકોના મોત થઇ ચૂક્યા છે. ઘણા લોકો અત્યારે પણ હૉસ્પિટલમાં જિંદગી અને મોતની જંગ લડી રહ્યા છે. અહીં લગ્ન સમારોહમાં ભોજન બનાવવા દરમિયાન સિલિન્ડરમાં ધમાકો થયો હતો.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.