કોરોનાની અસરઃ 60 ટકા બાળકો બન્યા આ સમસ્યાનો શિકાર, માતાપિતાની વધી પરેશાની

કોરોના પછી 60 ટકા સ્કૂલે જનારા બાળકોમાં ગુસ્સો અને ચિડચિડીયાપણું વધી ગયેલું જોવા મળ્યું છે. તેઓ નાની નાની વાત પર ગુસ્સો કરવા લાગે છે. ક્લાસમાં તેમના ક્લાસમેટ સાથે ઝઘડવા લાગે છે. શિક્ષકોના કહેવા છતાં પણ પોતાની ભૂલ સ્વીકારતા નથી. આ વાત પટના જિલ્લાની 120 પ્રાઈવેટ સ્કૂલોના લગભગ એક લાખ બાળકો પર થયેલી સ્ટડીમાં સામે આવ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જુલાઈ મહિના સુધી આ સ્ટડી ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ પર કરવામાં આવી હતી.

CBSEના સિટી કો-ઓર્ડિનેટર રાજીવ રંજને કહ્યું હતું કે પેરેન્ટ્સ-ટીચર મિટીંગમાં શિક્ષકો દ્વારા બાળકોના સ્વભાવમાં પરિવર્તન અને ભણવામાં ધ્યાન નહીં લાગવાની ફરિયાદો કરવામાં આવી રહી છે. બાળકોના માતાપિતા પણ વારંવાર કોરોના પછી આ પ્રકારના બદલાવની વાતો કરી રહ્યા હતા. આ અંગે CBSE અને CISCI સ્કૂલોમાં બાળકોના વ્યવહાર પરિવર્તનની સ્ટડી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાળકોના સ્વભાવમાં બદલાવની સ્ટડી માટે શિક્ષકો, સ્કૂલ કાઉન્સેલર અને કેટલાંક બાળ મનૌવૈજ્ઞાનિકની મદદથી પ્રશ્નોતરી તૈયાર કરવામાં આવી હતી.

તેમાં અલગ અલગ દિવસે ક્લાસમાં બાળકોની વચ્ચે વહેંચીને તેમની પાસે ભરાવવામાં આવી હતી. તેના માધ્યમથી તેમના ગુસ્સાનું કારણ પણ જાણી શકાયું હતું. જેના પછી છેલ્લા એક મહિનાથી તેમની કાઉન્સેલિંગ કરવામાં આવી રહી છે. આ સિવાય બાળકોના વ્યવહાર અને સ્વભાવમાં સકારાત્મક બદલાવ લાવવો અને તેમના ગુસ્સાને ઓછો કરવા માટે શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના પ્રિન્સિપલ ફાધર ક્રિસ્ટુએ કહ્યું કે કોરોના પછી બાળકોના વ્યવહારમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે.

તેમનો ગુસ્સો વધી ગયેલો જોવા મળ્યો છે. આ સિવાય બાળકોને ભણવા પ્રત્યેની રૂચિમાં પણ ઘટાડો થયેલો જોવા મળ્યો છે. ડાના બાસ્કો એકેડમીના પ્રિન્સિપલ મેરી અલ્ફાન્સોએ કહ્યું કે બાળકોને જ તેમના સ્વભાવ અંગે લખીને પૂછવામાં આવે છે. ઘણા બાળકોએ સ્વીકાર કર્યો કે પહેલા કરતા તે વધારે ગુસ્સો કરવા લાગ્યા છે. નકારાત્મક વિચારવાળા બાળકોનું કાઉન્સેલિંગ કરી તેમનો અભ્યાસ તરફ ધ્યાન લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વ્યવહાર સુધારવાના નૈતિક મૂલ્યો અને કાઉન્સેલિંગના અલગથી ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. કોરોના કાળ પછી માત્ર બાળકો નહીં પરંતુ દરેક માણસના વ્યવહાર અને સ્વભાવમાં બદલાવ આવેલા જોવામાં આવ્યા છે.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.