10માંથી 7 મહિલાઓ પતિ પ્રત્યે દગાબાજ; સર્વેનું તારણ, પુરુષોની આ ભૂલ મુખ્ય કારણ છે

ભારત દેશમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે, પરંતુ જો જીવનસાથી સાથેના સંબંધો સારા ન હોય તો તે ગૂંગળામણનું કારણ બની જાય છે. એમાં કોઈ શંકા નથી કે, આજના સમયમાં લગ્નેતર સંબંધોના કિસ્સાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, જે દર્શાવે છે કે લોકો તેમના લગ્નજીવનમાં ખુશ નથી. જોકે, એ વાતને પણ નકારી શકાય નહીં કે, કેટલાક લોકો પોતાના રોમાંચ માટે પોતાના પાર્ટનરને છેતરતા હોય છે. આમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

પરંતુ ગ્લીડન એપ દ્વારા ભારતમાં પરિણીત મહિલાઓ પર કરવામાં આવેલ એક સર્વેક્ષણ, જેમાં 5 લાખથી વધુ યુઝર્સ છે, તે દર્શાવે છે કે, મોટાભાગની મહિલાઓને તેમના જીવનસાથીના કારણે અફેર કરતી હોય છે. અહીં તમે આ સર્વેને વિગતવાર જાણી શકો છો.

શા માટે સ્ત્રીઓ અન્ય પુરુષો સાથે સંબંધ ધરાવે છે? આ સર્વે ભારતમાં લગ્નેતર ડેટિંગ એપ ગ્લીડન દ્વારા કરવામાં આવ્યો હતો. તેનો ખુલાસો તમને તમારા લગ્ન વિશે ચિંતિત કરી શકે છે. આ સર્વેમાં મોટાભાગની મહિલાઓ મુંબઈ, દિલ્હી NCR, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ અને પૂણે જેવા મેટ્રો શહેરોની હતી.

સર્વેમાં સામે આવ્યું છે કે, ભારતમાં 10માંથી 7 મહિલાઓ તેમના પતિ સાથે છેતરપિંડી કરતી હોય છે કારણ કે, તેમના પતિ તેમને ઘરના કામમાં મદદ કરતા નથી. લગ્નજીવનમાં એક જ પ્રકારની ટિપિકલ જિંદગીના કારણે કંટાળો અનુભવવાને કારણે અન્ય પુરૂષ સાથે સંબંધ બાંધનાર મહિલાઓની સંખ્યા પણ એટલી જ છે.

સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે, 37% સ્ત્રીઓ બેવફાઈ કરે છે, કારણ કે તેઓ કંઈક નવું કરવાનો પ્રયાસ કરી શકે છે અને જિંદગીમાં તેમના વર્તમાન સંબંધોને સુધારી શકે. જેના પર એપના માર્કેટિંગ વિશેષજ્ઞનું કહેવું છે કે, આનો અર્થ એ કરી શકાય છે કે, લગ્નેતર સંબંધો લગ્નને તૂટવાથી બચાવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

એમાં કોઈ શંકા નથી કે આજના સમયમાં પોતાના પાર્ટનર સાથે છેતરપિંડી કરવી ખૂબ જ સામાન્ય બની ગઈ છે. લોકો પોતાના આનંદ માટે પોતાની અનુકૂળતા મુજબ પાર્ટનરનો વિશ્વાસ એક ક્ષણમાં તોડી નાખે છે. તેઓ તેને એકલા છોડીને તે સંબંધમાં ઘાયલ થાય છે, જેને જાળવી રાખવાની જવાબદારી પણ તેની છે. તેઓ ભૂલી જાય છે કે, તેઓએ પોતે જ આવનારા પરિણામોનો સામનો કરવો પડશે, જે વિનાશક પણ હોઈ શકે છે. આ સમજવું એ લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેઓ તેમના જીવનસાથી સાથે છેતરપિંડી કરે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.