મણિપુરમાં દંગાખોરોએ એમ્બ્યુલન્સમાં લગાવી આગ, 1 બાળક સહિત 3 જીવતા ભૂંજાયા

મણિપુરમાં હિંસા દિવસે ને દિવસે વધુ ખતરનાક રૂપ લેતી જઈ રહી છે. દરમિયાન, રાજ્યના પશ્ચિમ ઇંફાલ જિલ્લામાંથી એક રુંવાટા ઊભા કરી દેનારી ખબર સામે આવી છે. દંગા કરનારાઓએ ત્રણ માસૂમ લોકોનો જીવ લઈ લીધો. વાત જાણે એમ છે કે, આશરે આઠ વર્ષીય એક બાળકને હોસ્પિટલ લઇ જતી વખતે એક એમ્બ્યુલન્સમાં ભીડે આગ લગાવી દીધી હતી. તેને કારણે બાળક, તેની મમ્મી અને એક અન્ય સંબંધી આ આગમાં જીવતા હોમાઈ ગયા અને તેમનું મોત થઈ ગયુ.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગોળીબારી દરમિયાન માસૂમ બાળકને માથાના ભાગે ગોળી વાગી ગઈ હતી. તેની સારવાર કરાવવા માટે તેની મમ્મી અને અન્ય એક સંબંધી એમ્બ્યુલન્સમાં ઇંફાલની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા. ત્યારે જ ભીડે અચાનક સામે આવીને એમ્બ્યુલન્સને અટકાવી દીધી અને તેમા આગ લગાવી દીધી હતી. એમ્બ્યુલન્સમાં બેઠેલો બાળક, તેની મમ્મી અને એક અન્ય સંબંધી આ આગમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. જણાવી દઈએ કે, દર્દનાક ઘટના ઇસોઇસેમ્બામાં રવિવારે સાંજે બની હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ભીડે જે ત્રણ લોકોને આગની ભેંટ ચઢાવી દીધા હતા, તેમની ઓળખ આઠ વર્ષીય તોંસિંગ હૈંગિંગ, તેની 45 વર્ષીય મમ્મી મીના હૈંગિંગ અને 37 વર્ષીય લિડિયા લોરેમ્બમના રૂપમાં થઈ છે. આસામ રાઇફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ ઘટના અંગે કેટલાક લોકોનું કહેવુ છે કે, કાંગચુપમાં આસામ રાઇફલ્સના રાહત શિબિરમાં આ લોકો રહી રહ્યા હતા. ચાર જૂનની સાંજે અચાનક વિસ્તારમાં મુઠભેડ શરૂ થઈ ગઈ. કેમ્પમાં હોવા છતા બાળકના માથામાં એક ગોળી વાગી ગઈ હતી. આસામા રાઇફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ તરત જ ઇંફાલમાં પોલીસ સાથે વાત કરી અને એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી. જોકે, તે બાળકની માતા બહુસંખ્યક સમુદાયમાંથી હતી, આથી બાળકને રસ્તાના માર્ગે ઇંફાલના ક્ષેત્રીય આયુર્વિજ્ઞાન સંસ્થામાં લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર, સાંજે આશરે 6.30 વાગ્યે ઇસોઇસેમ્બામાં નાગરિકોએ એમ્બ્યુલન્સને રસ્તામાં રોકી લીધી અને તેમા આગ લગાવી દીધી હતી. વાહનમાં સવાર ત્રણ લોકોના દાઝવાના કારણે મોત થઈ ગયા.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.