મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર કોંગ્રેસે જુઓ શું કહ્યું

મોદી સરકારે કેન્દ્રની સત્તામાં આજે પોતાના 9 વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ અવસર પર સરકાર પોતાની ઉપલબ્ધિઓ ગણાવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, છેલ્લાં 9 વર્ષોમાં કઇ રીતે સરકારે મોટા નિર્ણયો લીધા અને લોકો માટે શું-શું કર્યું. તો બીજી તરફ, વિપક્ષી દળ કોંગ્રેસ તરફથી તેને નિષ્ફળતાના 9 વર્ષ જણાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના આધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે, જેમા મોદી સરકારના 9 વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે બેરોજગારીથી લઇને મોંઘવારી અને બાકી તમામ મુદ્દાઓને લઇને સરકારને ઘેરી છે અને કહ્યું છે કે, બદહાલીના 9 વર્ષ પૂરા થઈ ગયા છે.

આજે મોદી સરકારને 9 વર્ષ થઈ ગયા. આ નિષ્ફળતાના 9 વર્ષ છે. દેશની ખરાબ હાલતના 9 વર્ષ છે.

આ 9 વર્ષોમાં લોકોએ મોંઘવારી, બેરોજગારી અને તાનાશાહી નિર્ણયોનો માર ઝેલવો પડ્યો.

જુલ્મોના દમ પર સત્તમાં આવેલી મોદી સરકારે પોતાનો એક પણ વાયદો પૂરો નથી કર્યો. બસ તારીખ પર તારીખ આપતા રહ્યા.

જેમકે-

2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાનો વાયદો.

2022 સુધી બધાને ઘર આપવાનો વાયદો.

કાળુ ધન લાવીને 15 લાખ આપવાનો વાયદો.

દર વર્ષે 2 કરોડ નોકરીનો વાયદો.

આ તો ખાલી શરૂઆત છે. તેમના જુલ્મો ગણવા બેસો તો ગણતા-ગણતા કેટલા દિવસો નીકળી જાય.

PM મોદીએ પોતાના વાયદા તો પૂરા નથી કર્યા, તેનાથી ઉલટ પોતાની નાસમજીથી દેશને મુસીબતમાં મુકી દીધો.

નોટબંધીએ અર્થવ્યવસ્થા ચોપટ કરી દીધી, બેંકની લાઇનોમાં લોકોના મોત થયા. કોણ ભૂલી શકે છે તે ભયાનક સમયને.

ગબ્બર સિંહ ટેક્સ (GST) Lથી વેપારી બરબાદ થઈ ગયા છે. અવારનવાર તેનો વિરોધ થાય છે પરંતુ, સાંભળનાર મોરને દાણા આપવામાં વ્યસ્ત છે તો લોકો શું કરે.

અગ્નિવીરના નિર્ણયે યુવાઓના સપનાને કચડી નાંખ્યા. જ્યારે તેઓ વિરોધમાં ઉતર્યા તો તેમને ધમકાવવામાં આવ્યા કે, તેમનું ભવિષ્ય બદબાદ કરી નાંખવામાં આવશે.

હાં... ધમકાવવામાં આવ્યા. મોદી સરકાર જનતાને ડરાવીને-ધમકાવીને, સત્તાને ખરીદીને, મિત્રને બધુ વેચીને... મોજ કરવાના ફોર્મ્યૂલા પર ચાલી રહી છે.

કોઈ અવાજ ઉઠાવે તેને દબાવી દો, કચડી નાંખો, જેલમાં મોકલી આપો, બુલડોઝર ચલવી દો.

ED, CBIનો ડર બતાવો. ક્યાંક સરકાર ના બને તો પૈસાના દમ પર સત્તા ખરીદી લો અને લોકતંત્રની હત્યા કરી દો.

દેશના પોર્ટ, એરપોર્ટ, મોટા પ્રોજેક્ટ મિત્રને વેચી દો... અને આરામથી મિત્ર કાલમાં મોંઘા મશરૂમ ખાતા રહો, ફોટા પડાવતા રહો.

આ સરકારમાં મીડિયાનો રોલ પણ મહત્ત્વનો છે. સવારથી સાંજ સુધી પ્રોપેગેંડા ચાલે છે. મહામાનવની નકલી છબિ ઘડવામાં આવે છે અને છેલ્લે મહામાનવ લાલ શર્ટ પહેરીને ચીનને રિઝવતા જોવા મળે છે.

યાદ જ હશે... ચીનને લાલ આંખ બતાવવાની વાત થઈ હતી. આખરે મામલો લાલ શર્ટ સુધી પહોંચી ગયો. આજે ચીન આપણી જમીન પર આપણને જ પેટ્રોલિંગ કરતા રોકી રહ્યું છે. આપણા જાંબાજ જવાનોએ તેના માટે શહાદત પણ આપી અને અંતમાં મહામાનવ લાલ શર્ટ પહેરીને ચીનને રિઝવવામાં લાગી ગયા. આ છે તેમની કાયરતા.

તેમની નિષ્ફળતાની વાતો ઘણી છે, એટલી કે ઘણી બુક્સ લખી શકાય છતા ઘણી બધી વાતો છૂટી જશે.

આ નિષ્ફળતાના 9 વર્ષ છે. હે જનતા તેમનાથી કંટાળી ગઈ છે. કર્ણાટકની ચૂંટણી તેનો પુરાવો છે, જ્યાં જનતાએ PM મોદી અને તેમની ભ્રષ્ટ સરકારને નકારી દીધી.

આ અસંતોષની લહેર દક્ષિણથી ચાલી છે જે સમગ્ર દેશને પોતાનામાં સમેટી લેશે. જનતા રાહ જોઈ રહી છે અને જડબાતોડ જવાબ આપશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.