બાગેશ્વર ધામના પંડાલને બનાવતા 200 મજૂરમાથી 90 મુસ્લિમ છે, આઝાદ કહે- ધર્મ-કર્મ...

PC: twitter.com

બિહારના પટનાના નૌબતપુરમાં બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કાર્યક્રમની તૈયારીમાં હિન્દુ-મુસ્લિમની એકતા જોવા મળી હતી. પંડાલ બનાવી રહેલા 200 મજૂરોમાંથી 80થી 90 મજૂરો મુસ્લિમ છે, જેઓ બાબા માટે પંડાલ બનાવી રહ્યા છે. પૂછવા પર મજૂરોએ કહ્યું કે, દરેકનો ધર્મ પોતાની જગ્યાએ હોય છે. બધા ધર્મોનું સન્માન કરવું જોઈએ. મારા માટે આ પહેલો કાર્યક્રમ નથી, જેમાં હું હિન્દુ કાર્યક્રમ માટે કામ કરી રહ્યો છું. બંને સમુદાયના લોકો બાબાની કથા માટે પંડાલ બનાવવામાં વ્યસ્ત છે.

મંત્રી તેજ પ્રતાપ યાદવે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન સામે યુદ્ધ છેડ્યું છે. ત્યાં સુધી કે, હિંદુ-મુસ્લિમની પણ વાત થઈ હતી. બીજી તરફ નૌબતપુરના તરેત પાલી મઠમાં 13 મેથી 17 મે દરમિયાન યોજાનારી હનુમત કથાની તૈયારી હવે અંતિમ તબક્કામાં છે. જ્યાં બાબા બાગેશ્વર ધામના કથા સ્થળ અને પંડાલના નિર્માણમાં હિન્દુ-મુસ્લિમ એકતા નજરે પડે છે. છેલ્લા ઘણા દિવસોથી 200 જેટલા મજૂરો દ્વારા પંડાલ બનાવવામાં આવી રહ્યો છે. આ જ પંડાલનું બાંધકામ અંતિમ તબક્કામાં આવી ગયું છે. ઘણા મજૂરો બિહાર અને બંગાળના છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોનો સમાવેશ થાય છે.

પંડાલના બાંધકામમાં રોકાયેલ કારીગર મો.આઝાદે કહ્યું કે બંને સમુદાયના લોકો સાથે મળીને આ પંડાલ બનાવી રહ્યા છે, જેમાં હિન્દુ-મુસ્લિમ બધા ભાઈઓ છે. છેલ્લા ઘણા દિવસોથી આ બાંધકામમાં 200 મજૂરો રોકાયેલા છે. બાબાના કાર્યક્રમ માટે કામ કરતા મો.આઝાદે એમ પણ કહ્યું કે, તમામ ધર્મોમાં આવા અનુયાયીઓ છે. હિન્દુ હોય કે મુસ્લિમ, તમામ ધર્મના લોકો આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. અમે દરેક માટે કામ કરીએ છીએ. અહીંના લોકો સારી રીતે વર્તે છે અને મદદ પણ કરે છે. જેઓ હિંદુ મુસ્લિમની વાત કરે છે તેઓ પોતાના ફાયદા માટે જ કરતા હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામના કથાકાર સહ-પ્રમુખ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 13 થી 17 મે દરમિયાન પટના રાજધાનીથી માત્ર 20 Km દૂર નૌબતપુર બ્લોકમાં આવેલા તરેત પાલી મઠ ખાતે આવવાના છે. 13 થી 17 મે દરમિયાન હનુમત કથાનું આયોજન કરવામાં આવશે. 15 મેના રોજ બાબા દ્વારા દિવ્ય દરબારનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં લોકોની કાપલીઓ પણ નીકાળવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ કાર્યક્રમની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. આયોજક તરફથી પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભક્તો માટે લગભગ 50 એકરમાં પંડાલ બનાવવામાં આવ્યો છે.

કારીગર મોહમ્મદ આઝાદ કહે છે, 'બંને સમુદાયના લોકો મળીને આ પંડાલ બનાવી રહ્યા છે, જેમાં હિંદુ-મુસ્લિમ બધા ભાઈઓ છે. છેલ્લા ઘણા દિવસોથી 200 મજૂરો આ બાંધકામમાં લાગેલા છે. બધા ધર્મોમાં આ પ્રકારના અનુયાયીઓ છે. હિન્દુ હોય કે મુસ્લિમ, તમામ ધર્મના લોકો આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. અમે બધા માટે કામ કરીએ છીએ. બધા ધર્મોનું સન્માન કરવું જોઈએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp