હાઈકોર્ટના આદેશ પર 93 વર્ષીય વૃદ્ધાને 80 વર્ષ પછી 2 ફ્લેટ પાછા મળ્યા

બોમ્બે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપતાં 93 વર્ષની એક મહિલાને મોટી રાહત આપી છે. આ મહિલા દક્ષિણ મુંબઈમાં પોતાના બે ફ્લેટનો કબજો મેળવવા માટે છેલ્લા 80 વર્ષથી કાનૂની લડાઈ લડી રહી હતી. કોર્ટે રાજ્ય સરકારને બંને ફ્લેટ મહિલાને પરત કરવાનો આદેશ આપ્યો છે. જે વર્ષ 1940માં કબજે કરવામાં આવ્યું હતું. આટલી લાંબી કાયદાકીય લડાઈ લડી રહેલી મહિલાનું નામ એલિસ ડિસોઝા છે. આ ફ્લેટ રૂબી મેન્શનના પહેલા માળે છે, જે મેટ્રો સિનેમા, મુંબઈની પાછળ આવેલું છે. જે પાંચસો અને છસો ચોરસ ફૂટના છે. 28 માર્ચ 1948ના રોજ, રૂબી મેન્શન 'ડિફેન્સ ઓફ ઈન્ડિયા' માટે હસ્તગત કરવામાં આવ્યું હતું.

જો કે, બાદમાં પ્રથમ માળ સિવાયના બાકીના મકાનો ધીમે ધીમે તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. ગુરુવારે, હાઈકોર્ટના ન્યાયાધીશો રમેશ ધાનુકા અને મિલિંદ સાઠેએ રાજ્ય સરકારને આ મકાનો શાંતિપૂર્ણ રીતે ખાલી કરવા અને અરજદારોને પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં આ કામ આઠ સપ્તાહમાં કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે 93 વર્ષીય મહિલાની તરફેણમાં ચુકાદો આપતાં ફ્લેટના વર્તમાન રહેવાસીઓની અરજી ફગાવી દીધી હતી.

17 જુલાઈ, 1946ના રોજ, બોમ્બેના તત્કાલીન ગવર્નરે આ મિલકતના મૂળ માલિક અને ડિસોઝાના પિતા HS DSને ડિફેન્સ ઑફ ઈન્ડિયા રૂલ હેઠળ લૉડ નામના સરકારી કર્મચારીને આ મિલકત સોંપવાનો આદેશ આપ્યો હતો. જો કે, 24 જુલાઇ 1946ના રોજ, કલેકટરે આ મિલકતોને 'રિક્વિઝિશન'ના કાર્યક્ષેત્રમાંથી બાકાત કરી હતી. જો કે, સૂચના બાદ પણ આ ફ્લેટનો કબજો HS DSને સોંપવામાં આવ્યો ન હતો. 21 જૂન 2010ના રોજ, આવાસ કંટ્રોલરે ફ્લેટના રહેવાસીઓને (લૌડના પુત્ર મંગેશ અને પુત્રી કુમુદ ફોંડકર)ને બોમ્બે લેન્ડ રિક્વિઝિશન એક્ટ 1948 હેઠળ ફ્લેટ ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યાં સુધીમાં લૉડનું મોત થઈ ગયું હતું.

આ પછી, 26 ઓગસ્ટ, 2011ના રોજ, સંબંધિત (એપેલેટ ઓથોરિટી)એ પણ આ નિર્ણયને માન્ય રાખ્યો. દરમિયાન, મંગેશ અને કુમુદના અવસાન પછી, તેમના પૌત્રએ આ આદેશને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે કહ્યું કે, આ કેસમાં કોઈ દમ નથી. ઉપરાંત, કોર્ટે કહ્યું કે બોમ્બે લેન્ડ રિક્વિઝિશન એક્ટ 11 એપ્રિલ 1948ના રોજ અમલમાં આવ્યો. જ્યારે આ કેસ તે પહેલાનો છે. આવી સ્થિતિમાં આ કાયદા હેઠળ તેની સુનાવણી કેવી રીતે થઈ શકે. આ મામલે કોર્ટે સુપ્રીમ કોર્ટના કેટલાક આદેશોનો પણ ઉલ્લેખ કર્યો છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.