MPમાં 95 ટકા સનાતની અને બાકીના આતંકવાદીઓને મદદ કરનારા રહે છે: BJP નેતા

મધ્ય પ્રદેશમા હવે વિધાનસભા ચૂંટણી નજીકમાં છે અને બધી પાર્ટીઓ પોતપોતાની રીતે જોર લગાવી રહી છે. ભાજપના એક નેતાએ કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું છે કે મધ્ય પ્રદેશમાં 95 ટકા સનાતની અને બાકીના આતંકવાદીઓને મદદ કરનારા લોકો રહે છે. આ નેતાએ કહ્યું કે કોંગ્રેસને 50 બેઠકો મેળવવાના પણ ફાંફા થઇ જશે.

મધ્ય પ્રદેશ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયભાન સિંહ પવૈયાએ દાવો કર્યો છે કે મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 50 બેઠકો મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે.

પવૈયાએ કહ્યું કે સનાતન ધર્મ સાથે સંબંધ રાખનારા 95 ટકા લોકો મધ્ય પ્રદેશમાં રહે છે અને 5 ટકા મતદાકો આતકવાંદીઓ, દગાબાજો એને ધર્મ પરિવતર્નને સમર્થન કરનારા રહે છે. એમાં હિજાબ ગેંગ પણ સામેલ છે.

ભાજપ નેતાએ કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવવા માટે 95 ટકા લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરી રહી છે. તેમણે આગળ કહ્યુ કે એટલે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અહીં જન આક્રોશ યાત્રા કાઢી રહી છે. પરંતુ સનાતની લોકોનો ગુસ્સો વધારે છે એટલે કોંગ્રેસને 50 સીટ પણ નહીં મળે.

જયારે ભાજપ નેતાને મીડિયાએ સવાલ પુછ્યો કે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે સનાતન ધર્મનો મુદ્દો રહેશે? જેના જવાબમાં પવૈયાએ કહ્યું હતું કે ચૂંટણીમાં સનાતન ધર્મનો મુદ્દો નિશ્ચિતપણે રહેશે.તેમણે કહ્યું કે મોઘલ કાળથી બ્રિટિશ કાળ સુધીના 1000 વર્ષ સુધી જે છે તે સનાતન ધર્મ તો છે.

ભાજપના પૂર્વ મંત્રી પવૈયાના નિવેદન સામે કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસના પ્રવક્તા આનંદ જાટે કહ્યુ કે, પવૈયા કે જેમની પોતાની ટિકીટ જ હજુ કન્ફર્મ નથી તેમણે કોંગ્રેસ પર નિવેદનબાજી કરવાને બદલે મધ્ય પ્રદેશમાં પોતાની સરકારે જે લૂંટ મચાવી છે તેના વિશે બોલવું જોઇએ.

કોંગ્રેસ નેતાએ આરોપ મુકતા કહ્યુ કે ભાજપ સરકાર મહાકાલ મંદિરમાં થયેલા કૌભાંડમાં પણ સામેલ છે. આ ભાજપની જ સરકારે 95 ટકા સનાતની ખેડુતોની દેવામાફીની રકમ અટકાવેલી છે.જો રાજ્યામાં બેરોજગારી વધશે તો સનાતન ધર્મના યુવાનોને જ નુકશાન પહોંચાડશે.ભાજપ સનાતન ધર્મની વિરોધી છે.

મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો માટે આ વર્ષમાં ચૂંટણી થવાની છે. વર્ષ 2018માં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની હતી અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ 2021માં કોંગ્રેસની સત્તા ઉથલી ગઇ હતી અને ભાજપે ફરી સત્તા મેળવી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.