23 વર્ષના યુવકે 13 વર્ષની છોકરી પર બળાત્કાર કરીને ગર્ભવતી બનાવી દીધી

બહારી દિલ્હીના સમયપુર બદલીમાં 23 વર્ષીય વ્યક્તિ દ્વારા કથિત રીતે બળાત્કાર ગુજાર્યા બાદ ગર્ભવતી બનેલી 13 વર્ષની છોકરીએ એક છોકરાને જન્મ આપ્યો હતો, પરંતુ બાળકનું જન્મ પછી તરત જ મૃત્યુ થયું હતું. પોલીસે આ કેસમાં આરોપીની ઓળખ સુજીત તરીકે કરી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

પીડિત બાળકીના સંબંધીઓના જણાવ્યા અનુસાર, આ મામલો 12 જાન્યુઆરીએ પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિતાની માતાએ તેની પુત્રીનું પેટ ફૂલીને બહાર આવી ગયેલું જોયું હતું.

બાળકીની માતાએ કહ્યું, 'જ્યારે મેં મારી પુત્રીને તેના વધેલા પેટનું કારણ પૂછ્યું, ત્યારે તેણે મને તેના પર બળાત્કાર કરનાર વ્યક્તિ વિશે જણાવ્યું, અને કહ્યું કે તે છ મહિનાની ગર્ભવતી છે.' આ પછી પરિવાર બાળકીને હોસ્પિટલ લઈ ગયો અને મેડિકલ તપાસમાં તે પ્રેગ્નેન્ટ હોવાની સાબિતી થઇ, ત્યારબાદ આ મામલાની પોલીસને જાણ કરવામાં આવી હતી.

કેસ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પીડિત પરિવારે પોલીસને જણાવ્યું કે, છોકરીને લોહી વહેવા લાગ્યું હોવાથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અધિકારીએ કહ્યું, 'પીડિતાએ કહ્યું કે, આરોપીએ તેને ગર્ભપાત કરાવવા માટે કંઈક ખાવાનું આપ્યું હતું. નિવેદનના આધારે એક કેસ નોંધવામાં આવ્યો છે.'

DCP (આઉટર-નોર્થ) દેવેશ મહાલાએ જણાવ્યું હતું કે, IPCની કલમ 376 (બળાત્કારની સજા), 315 (બાળકને જીવતા જન્મતો અટકાવવાના ઈરાદાથી કરવામાં આવેલ કૃત્ય) અને આ સંબંધમાં જાતીય અપરાધોથી બાળકોનું રક્ષણ (પોક્સો) અધિનિયમ) એક્ટની કલમ 6 હેઠળ 13 જાન્યુઆરીએ FIR નોંધવામાં આવી છે.

આરોપીની ઓળખ સિરસપુરના રહેવાસી સુજીત તરીકે થઈ છે. તે અગાઉ ફરાર હતો, પરંતુ તે દિવસે પાછળથી પોલીસ ટીમો દ્વારા દરોડા પાડ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. કેસની તપાસ કરી રહેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી વ્યવસાયે ડ્રાઈવર છે. તે યુવતીના સંપર્કમાં કેવી રીતે આવ્યો તે પોલીસ હજુ પણ શોધી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે, છોકરીએ બુધવારે એક છોકરાને જન્મ આપ્યો હતો, પરંતુ બાળકના જન્મ પછી તરત જ મૃત્યુ થયું હતું. પરિવારે જણાવ્યું છે કે પીડિતા પોતે ખતરાથી બહાર છે, પરંતુ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.