પાર્કમાં બેઠેલા પતિ-પત્નીને બજરંગદળવાળાએ માર્યા, પછી ટોળાએ બજરંગદળવાળાને માર્યા

દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદમાં વેલેન્ટાઈન ડેની આડમાં કહેવાતા બજરંગ દળના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તેઓએ ફરીદાબાદના પાંચ નંબર વિસ્તારના પાર્કમાં બેઠેલા પતિ-પત્નીને પ્રેમી પંખીડા ગણીને માર માર્યો હતો. આ દરમિયાન, ભારે હંગામો થતો જોઈને સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ અને બધા બજરંગ દળના કાર્યકરોને દોડાવી દોડાવીને લાકડીઓ વડે માર મારવાનું શરુ કર્યું હતું.

ભગવા રંગના કપડાં પહેરેલા યુવાનો પૂંછડી દબાવીને ભાગવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક લોકોમાં રોષ છે અને તેઓ તેને પોલીસની બેદરકારી ગણાવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ પીડિત દંપતી ફરીદાબાદના SGM નગરમાં રહે છે. મંગળવારે પતિ-પત્ની NIT-3 ત્રિકોણા પાર્કમાં આવ્યા હતા અને બંને પાર્કની બેંચ પર બેસીને વાતો કરી રહ્યા હતા. તે જ સમયે કેટલાક યુવકો ત્યાં આવી પહોંચ્યા અને દંપતી સાથે ગેરવર્તન અને મારપીટ કરવા લાગ્યા. તેઓએ પોતાને પતિ-પત્ની ગણાવ્યા પરંતુ યુવકોએ ગુંડાગીરી કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પછી મહિલાએ જોર જોરથી બૂમો મારવાનું શરૂ કર્યું અને પાર્કમાં તડકામાં બેસવા આવેલા લોકો એકઠા થઈ ગયા. ત્યારબાદ બધાએ મળીને ગુંડાગીરી કરી રહેલા બજરંગ દળના કાર્યકરોને માર મારવાનું શરૂ કર્યું. યુવાનો ટોળાથી બચવા ભાગ્યા હતા પરંતુ તેમાંથી કેટલાકને લોકોએ પકડી લીધા હતા અને જોરદાર માર માર્યો હતો. આ પછી યુવકોએ કોઈક રીતે તેમની માફી માંગીને તેનો પીછો કરનારાઓથી છુટકારો મેળવ્યો હતો. આ દરમિયાન ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે ગુંડાગીરી અંગે માહિતી આપવા માટે ડાયલ 112 પર કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ જવાબ મળ્યો નહોતો. આ પછી, અન્ય કેટલાક યુવકોએ દંપતી સાથે ગુંડાગીર્દી કરનારાઓને ભગાવ્યા હતા.

જ્યારે, આ મામલે પોલીસ પ્રવક્તા સુબે સિંહે કહ્યું કે, હુમલાની માહિતી મળી છે, પરંતુ સત્તાવાર રીતે કોઈ ફરિયાદ મળી નથી. કોઈને પણ કાયદો હાથમાં લેવા દેવાશે નહીં. પોલીસ તપાસ કરશે અને જો કોઈ ફરિયાદ મળશે તો તેના પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બજરંગદળના સભ્યોએ બગીચામાં બેઠેલા યુગલોનો પીછો કર્યો હતો અને તેમને ભગાવ્યા હતા. 14 ફેબ્રુઆરીએ પ્રેમના તહેવાર તરીકે વિશ્વભરમાં ઉજવાતા વેલેન્ટાઈન ડેનો વિરોધ કરી રહેલા બજરંગ દળના કાર્યકરોએ વિધાનસભા પરિસરની સામે સ્થિત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની અંદર બેઠેલા યુગલોને પણ પીછો  કરીને ભગાવ્યા હતા.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.